મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબી નજીક એસટીમાં બેઠેલા મુસાફરનો પાંસળીનો ભાગ બસની સીટમાં અથડાતાં ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં


SHARE













મોરબી નજીક એસટીમાં બેઠેલા મુસાફરનો પાંસળીનો ભાગ બસની સીટમાં અથડાતાં ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં

મોરબી નજીકના ઘૂટું ગામ પાસેથી પસાર થતી એસટીની બસમાં બેઠેલા યુવાનનો છાતીનો ભાગ બસની સીટ સાથે અથડાતા તેને પાંસળીના ભાગે ઇજા થઈ હતી જેથી યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના ઘુનડા ગામે રહેતા ગમજીભાઈ નાયકાભાઈ સંગોળ (45) નામનો યુવાન મોરબી તાલુકાના ઘૂટું ગામ પાસેથી એસટીની બસ પસાર થઈ રહી હતી તે એસટીની બસમાં બેઠેલ હતો દરમ્યાન કોઈ કારણોસર એસટી બસની સીટ સાથે તેનો પાંસળીનો ભાગ અથડાતાં તે યુવાનને પાંસળીના ભાગે ઇજા થઈ હતી માટે તે યુવાનને સારવારમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વી.ડી. ખાચર દ્વારા કરવામાં આવી હતી

માર માર્યો

મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા ભલાભાઇ ચંદુભાઈ રાઠોડ (48) નામના યુવાનને તેના ભત્રીજા વિશાલ રાજુભાઈ સાથે બોલાચાલી થઈ હતી ત્યારબાદ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઇજા થતાં તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબી નજીકના મકનસર ગામ પાસે પ્રેમજીનગરમાં રહેતા ભરતભાઈ વાઘજીભાઈ રાઠોડ (30) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરની અંદર ફિનાઇલ પી લીધું હતું જેથી કરીને તે યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ મહેશભાઈ કહાંગરા દ્વારા કરવામાં આવી છે






Latest News