મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત


SHARE













મોરબીના રફાળેશ્વર ગામે રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે ભરવાડ વાસમાં રહેતા આધેડને ઘરે હતા ત્યારે પરસેવો વળવા લાગ્યો હતો અને છાતીમાં બળતરા થવા લાગી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાંથી સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા તેને જોઈ તપાસીને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા અને હાર્ટ અટેકના કારણે આધેડનું મોત થયું હોય તેવું સામે આવ્યું હતું જે અંગેની મોરબી તાલુકા પોલીસ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે ભરવાડ વાસમાં રહેતા ખોડાભાઈ જગાભાઈ પાંચિયા જાતે ભરવાડ (49) પોતે પોતાના ઘરે હતા ત્યારે તેને શરીરે પરસેવો વળવા લાગ્યો હતો અને છાતીમાં બળતરા અને દુખાવો થતો હતો જેથી તેને સારવાર માટે તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેઓને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને હાર્ટ એટેકના કારણે આધેડનું મોત થયું હોય તે અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. 






Latest News