મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની દરમિયાનગીરીથી વિમેદારને ૩.૨૪ લાખની રકમ મળી


SHARE







મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની દરમિયાનગીરીથી વિમેદારને ૩.૨૪ લાખની રકમ મળી

મોરબીના વતની રાજેશ વલ્લભભાઈ બારૈયાની કારને નુકશાન થતાં બજાજ એલીયાન્ઝ જનરલ ઇન્સ્યોરન્સમાં વીમો હોઈ તમામ કાગળો રજુ કર્યા હતા પરંતુ વીમા કંપનીએ વીમો આપવાની ના પાડતાં તેઓએ મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેઈસ દાખલ કરતા અદાલતે વિમા કંપનીને રૂા.૩,૨૪,૨૦૦ ફરીયાદીને ચુકવવાનો આદેશ કરેલ છે.

આ ફેઈસની વિગત એવી છે કે, મોરબીના વતની રાજેશભાઈ વલ્લભભાઈ બારૈયાએ પોતાની વીટારા બ્રેઝા કાર ૨૦૧૭ ની સાલમાં ખરીદી કરેલ અને ત્યારથી રેગયુલર વીમો બજાજ એલીયાન્સ જનરલ ઇન્સ્યોરન્સ કાુ. માં વીમો ભરતાં તા.૨૧-૫-૨૩ નાં રોજ તેમની કાર ઉમા ટાઉનશીપ બહાર વીજપોલ પાસે સાથે ટકરાતા કારને ઘણુ નુકશાન થયેલ તેમણે તાત્કાલીક મારૂતીના ડીલરને જાણ કરેલ અને ડીલરે વીમા કંપનીને જાણ કરેલ વીમાના કાગળો, આર.સી. બુક, લાયન્સન્સ બધુ સમયસર રજુ કરેલ પરંતુ વીમા કંપનીએ એવુ જણાવેલ કે ગાડી ચલાવનાર ગીરધરભાઈ અધારા પાસે જે લાયસન્સ છે તે રીન્યુ કરાવેલ નથી માટે વિમો મળે નહીં.નામદાર કોર્ટ કહયુ કે ગીરધરભાઇએ લાયસન્સ રીન્યુ માટે ઓન લાઇન અરજી કરેલ છે.તે કારણ ચાલે નહી ગ્રાહકે વીમો ભરેલ છે માટે વીમા કંપનીને રૂા.૩,૦૯,૨૦૦ કુલ ખર્ચના રૂા.૫,૦૦૦ માનસીક ત્રાસના અને ૧૦,૦૦૦ અન્ય ખર્ચ કુલ રૂા.૩,૨૪,૨૦૦ ચુકવવા તા.૪-૮-૨૩ થી ૯ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે. કોઇ પણ ગ્રાહકને અન્યાય થાય તો લાલજીભાઇ મહેતા (પ્રમુખ : મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ) મો.૯૮૨૫૭ ૯૦૪૧૨, બળવંતભાઈ ભટ્ટ મો.૯૩૨૭૪ ૯૯૧૮૫ અથવા રામભાઈ મહેતા મો.૯૯૦૪૭ ૯૮૦૪૮ નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવેલ છે.






Latest News