મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની દરમિયાનગીરીથી વિમેદારને ૩.૨૪ લાખની રકમ મળી


SHARE











મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની દરમિયાનગીરીથી વિમેદારને ૩.૨૪ લાખની રકમ મળી

મોરબીના વતની રાજેશ વલ્લભભાઈ બારૈયાની કારને નુકશાન થતાં બજાજ એલીયાન્ઝ જનરલ ઇન્સ્યોરન્સમાં વીમો હોઈ તમામ કાગળો રજુ કર્યા હતા પરંતુ વીમા કંપનીએ વીમો આપવાની ના પાડતાં તેઓએ મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેઈસ દાખલ કરતા અદાલતે વિમા કંપનીને રૂા.૩,૨૪,૨૦૦ ફરીયાદીને ચુકવવાનો આદેશ કરેલ છે.

આ ફેઈસની વિગત એવી છે કે, મોરબીના વતની રાજેશભાઈ વલ્લભભાઈ બારૈયાએ પોતાની વીટારા બ્રેઝા કાર ૨૦૧૭ ની સાલમાં ખરીદી કરેલ અને ત્યારથી રેગયુલર વીમો બજાજ એલીયાન્સ જનરલ ઇન્સ્યોરન્સ કાુ. માં વીમો ભરતાં તા.૨૧-૫-૨૩ નાં રોજ તેમની કાર ઉમા ટાઉનશીપ બહાર વીજપોલ પાસે સાથે ટકરાતા કારને ઘણુ નુકશાન થયેલ તેમણે તાત્કાલીક મારૂતીના ડીલરને જાણ કરેલ અને ડીલરે વીમા કંપનીને જાણ કરેલ વીમાના કાગળો, આર.સી. બુક, લાયન્સન્સ બધુ સમયસર રજુ કરેલ પરંતુ વીમા કંપનીએ એવુ જણાવેલ કે ગાડી ચલાવનાર ગીરધરભાઈ અધારા પાસે જે લાયસન્સ છે તે રીન્યુ કરાવેલ નથી માટે વિમો મળે નહીં.નામદાર કોર્ટ કહયુ કે ગીરધરભાઇએ લાયસન્સ રીન્યુ માટે ઓન લાઇન અરજી કરેલ છે.તે કારણ ચાલે નહી ગ્રાહકે વીમો ભરેલ છે માટે વીમા કંપનીને રૂા.૩,૦૯,૨૦૦ કુલ ખર્ચના રૂા.૫,૦૦૦ માનસીક ત્રાસના અને ૧૦,૦૦૦ અન્ય ખર્ચ કુલ રૂા.૩,૨૪,૨૦૦ ચુકવવા તા.૪-૮-૨૩ થી ૯ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે. કોઇ પણ ગ્રાહકને અન્યાય થાય તો લાલજીભાઇ મહેતા (પ્રમુખ : મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ) મો.૯૮૨૫૭ ૯૦૪૧૨, બળવંતભાઈ ભટ્ટ મો.૯૩૨૭૪ ૯૯૧૮૫ અથવા રામભાઈ મહેતા મો.૯૯૦૪૭ ૯૮૦૪૮ નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવેલ છે.






Latest News