મોરબીના રાતાભેર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત હળવદ પોલીસ લાઈનમાં જમાદારના ઘરે સમાધાન માટે આવેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓ પર ગ્રાઉન્ડમાં છરી વડે હુમલો: હવે સામસામે ફરિયાદ મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે
Breaking news
Morbi Today

મોરબીમાં પ્લાસ્ટીકના ઝબલાના દંડ ફટકારતી પાલિકા શહેરના ઉકરડા-ગંદકી ક્યારે હટાવશે ?


SHARE













મોરબીમાં પ્લાસ્ટીકના ઝબલાના દંડ ફટકારતી પાલિકા શહેરના ઉકરડા-ગંદકી ક્યારે હટાવશે ?

મોરબી શહેરમાં હાલ સફાઈના નામે મીંડું છે અને પાલિકા દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી હોય શહેરના અનેક વિસ્તારોમાં કચરાના ગંજ જામ્યા છે જેને લઇને સામાજિક કાર્યકર્તાઓ દ્વારા મોરબી પાલિકાના ચીફ ઓફિસર તેમજ કલેકટર અને ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી છે કે આગામી નોરતા અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ખાસ કરીને હોસ્પિટલ વિસ્તારમાં ફેલાયેલી ગંદકીને દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે

મોરબીના જગદીશભાઈ બાંભણિયા સહિતના સામાજિક કાર્યકરો દ્વારા મોરબી પાલિકાના ચીફ ઓફિસર, કલેકટર અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયાને લેખિત રજૂઆત કરીને જણાવવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં નોરતા અને દિવાળીના તહેવારો આવી રહ્યા છે ત્યારે મોરબીના જુના બસ સ્ટેશનની સામેનો ભાગ કે જ્યાં અનેક હોસ્પિટલ આવેલ છે ત્યાં ઘણા સમયથી ગટર છલકાઈ રહી છે અને રોડ ઉપર ગટરની ગંદકી જોવા મળે છે અને 108 પણ નીકળી ન શકે તે પ્રકારે ઉભરાતી ગટરના પ્રશ્નો ત્યાં જોવા મળે છે.

મોરબીના જુના બસ સ્ટેન્ડ સામે અનેક હોસ્પિટલ આવેલ છે અને આ હોસ્પિટલ રોડ ઉપર ગટર ઉભરાવાની વારંવાર ફરિયાદ પાલિકામાં કરવામાં આવેલ છે પણ કામ કરવામાં આવતું નથી જેથી કરીને બીમાર થયેલ લોકો સાજા થવા માટે હોસ્પિટલે આવેલ છે જો કે, ત્યાં ગંદકીના લીધે માંદા પડે તેવી સ્થિતિ છે. જેથી કરીને ગટરની ગંદકીનો પ્રશ્ન ઉકેવામાં આવે તે જરૂરી બન્યું છે અત્રે ઉલેખનીય છે કે, આડેધડ કોમ્પલેક્ષો બનાવિને વરસાદી અને અન્ય પાણીનો નિકાલ બંધ કરવામાં આવેલ છે અને આડેધડ ગટરના કનેક્શન લેવામાં આવેલ છે જેથી કરીને મોરબીના સાવસર પ્લોટની જેમ જુદાજુદા વિસ્તારોમાં ગટરની સમસ્યા માથું ઊંચકી રહી છે. મોરબીના ગાંધીચોકની સામેની શેરીમાં અને વિજય ટોકીઝ પાસેની ગંદકી કેમ પાલિકાની ટીમને દેખાતી નથી તે સવાલ છે.

સૌથી ખરાબ હાલત શાકમાર્કેટ વિસ્તારની છે તેવાં સમયે ઝબલાના નામે પાલિકા તંત્ર દ્વારા વેપારીઓને દંડવવામાં આવે છે પરંતુ મોરબીની અંદર છેલ્લા 15 વર્ષથી શાક માર્કેટમાં મુતરડી નથી તેના વિશે પાલિકાએ કશું જ કર્યું નથી. અને શાકમાર્કેટની પાછળ જે લોહાણાપરા વિસ્તાર છે ત્યાં ગંદકીનું કાયમી સામ્રાજ્ય છે ત્યાં પાલિકા કેમ સફાઈ કરતી નથી અને માત્રને માત્ર ઝબલાના નામે દંડ કરવામાં આવે છે જેથી વેપારીઓ સહિતના લોકોમાં પાલિકાની કામગીરીની સામે સવાલો ઉઠી રહ્યા હતા  મળી રહ્યો છે. અને પાલિકા શહેરમાંથી ઉકરડા દૂર કરીને દુર્ગંધ મારતી મુતરડીઓને સ્વચ્છ બનાવે તેવિ પણ ટકોર વેપારીઓ દ્વારા કરવામાં આવી રહી છે છેલ્લા વર્ષોમાં સફાઈ માટે કરોડો રૂપિયાના બિલ પાલિકાન ચોપડે ઉધારવામાં આવેલ છે જો કે, શહેરની હાલત શું છે તે લોકો સારી રીતે જાણે છે.






Latest News