મોરબીના આમરણ નજીક ટેન્કર ચાલકે ડબલ સવારી બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત, એકને ઇજા મોરબીમાં ઘરમાં કબાટના લોક ખોલીને સોનાના દાગીના સહિત 1.93 લાખના મુદામાલની ચોરી લાલચ બૂરી બલા હૈ: મોરબીના આધેડને ઘરે બેઠા ઓનલાઈન વર્ક કરી કમાણી કરવાની લાલચ આપીને 62.93 લાખની છેતરપિંડી મોરબીમાં ખાનપર ગામે યુવાનની માલીકીની જમીન ઉપર કબ્જો કરનાર બે શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના લખધીરપુર રોડે ગોડાઉનના પતરા ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના ખાનપર ગામે બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ વૃદ્ધાનું સારવારમાં મોત: વાંકાનેર નજીક અકસ્માતમાં યુવાનનું મોત હળવદના ખોડ ગામે રહેતી સગર્ભાનું શરીરમાં ચેપ લાગવાથી મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને રૂપિયા પાંચ લાખથી વધુની રકમ વ્યાજ સહિત મળી
Breaking news
Morbi Today

મોરબીના ન્યૂ પેલેસ ખાતે જિલ્લા રાજપૂત સમાજ દ્વારા ત્રિ દિવાસીય નવરાત્રિ મહોત્સવનું આયોજન


SHARE















મોરબીના ન્યૂ પેલેસ ખાતે જિલ્લા રાજપૂત સમાજ દ્વારા ત્રિ દિવાસીય નવરાત્રિ મહોત્સવનું આયોજન

મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે નવરાત્રિ મહોત્સવનું સમાજની બહેન દીકરીઓ માટે આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ મોરબીના ન્યૂ પેલેસ ખાતે ત્રિ દિવાસીય આયોજન કરવામાં આવ્યું છે

મોરબી રાજપૂત સમાજના બહેનો અને દીકરીઓ માટે તા 5 થી 7 સુધી ત્રણ દિવસ નવરાત્રિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લા રાજપુત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા અને તેઓની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે અને આ ત્રણ દિવસ રાત્રે 8 વાગ્યાથી રાસ ગરબા શરૂ કરવામાં આવશે અને ત્રણેય દિવસ બહેન દીકરીઓને જુદીજુદી કેટેગરીમાં ઈનામો પણ આપવામાં આવશે. અને આ રાસ ગરબામાં ભાગ લેનારા બહેનોને રાતે 8 થી 9 વાગ્યા સુધીમાં પાસ આપવામાં આવશે અને આ નવરાત્રિ મહોત્સવના મુખ્ય સ્પોન્સર સ્વ. ઉદયસિંહ મનુભા જાડેજા પરિવાર જયદિપ એન્ડ કંપની- વવાણીયા (મોરબી) છે અને કો-સ્પોન્સર ડી.એસ. ઝાલા દેવ સોલ્ટ પ્રા.લી. માળિયા (મિયાણા) છે. તેવું સમાજના પ્રમુખ પાસેથી જાણવા મળે છે અને આ કાર્યક્રમમાં આવવા માટે સમાજની બહેન-દીકરીઓને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News