મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં ગાંધી જયંતી નિમિતે સાંસદ-ધારાસભ્ય સહિતનાઓએ હાથમાં સાવરણા લઈને કરી સ્વચ્છ ભારત દિવસની ઉજવણી


SHARE







મોરબીમાં ગાંધી જયંતી નિમિતે સાંસદ-ધારાસભ્ય સહિતનાઓએ હાથમાં સાવરણા લઈને કરી સ્વચ્છ ભારત દિવસની ઉજવણી

મોરબીમાં પંચમુખી હનુમાનજી મંદિરવેજીટેબલ રોડ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હંસાબેન પારેઘી અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજીની પ્રેરક ઉપસ્થિતિમાં ૨ જી ઓક્ટોબર 'સ્વચ્છ ભારત દિવસતરીકે ઉજવણી કરવા સ્વચ્છતા હી સેવા પખવાડીયાના સમાપન સમારોહમાં એવોર્ડ અર્પણ અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કેગાંધીજીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ પાઠવવા આપણે સૌ સ્વચ્છાગ્રહી બનીએ અને ગમે ત્યાં કચરો ન ફેકવા માટે સંકલ્પ કરીએ. સ્વચ્છતા જાળવવા માટે પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવો અત્યંત જરૂરી છે. ઉપરાંત ભીના અને સૂકા કચરાને અલગ અલગ રાખી તેનું યોગ્ય વ્યવસ્થાપન થાય તે પણ મહત્વનું છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ સ્વચ્છ ભારત માટે પ્લાસ્ટિકને જાકારો આપવાની બાબતને મહત્વ આપતા તેમણે જણાવ્યું હતું કેપ્લાસ્ટિકનો નાશ કરી શકાતો નથી જેથી પ્લાસ્ટિકનો વપરાશ સદંતર બંધ કરી દૈનિક વપરાશમાં કાપડની થેલીનો ઉપયોગ કરવો જોઈએ. સ્વચ્છતા હી સેવા અભિયાન થકી ઘર ઘર સુધી સ્વચ્છતાનો સંદેશો પહોંચ્યો છેવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી અભિગમ થકી આજે ઘર ઘર સુધી શૌચાલય પહોંચ્યા છે અને લગભગ દરેક ગામડા ખુલ્લામાં શૌચમુક્ત બન્યા છે. ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા સૌને કટિબદ્ધ બનવા પણ તેમણે અનુરોધ કર્યો હતો. વધુમાં ગાંધીજીના મોરબી જિલ્લા સાથેના સંબંધોની વાત કરતા તેમણે જણાવ્યું હતું કેગાંધીજીના પિતા કરમચંદ ગાંધી વાંકાનેર સ્ટેટમાં દિવાન હતા જેથી ગાંધીજીનો મોરબી જિલ્લા સાથેનો સંબંધ બહુ જૂનો અને મહત્વનો છે. આ પ્રસંગે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા દુર્લભજીભાઈ દેથરીયાએ પ્રાસંગિક ઉદબોધન આપી જીવનમાં સ્વચ્છતાના મહત્વની વાત પર ભાર મૂક્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કેમહાત્મા ગાંધીજીની જન્મ જયંતી અને સ્વચ્છ ભારત મિશન(ગ્રા) ના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે ૨જી ઓકટોબરને 'સ્વચ્છ ભારત દિવસતરીકે ઉજવણી કરવામાં આવી છે. આ સ્વચ્છતા પખવાડિયાની મોરબી જિલ્લામાં સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. જેના ભાગરૂપે કાર્યક્રમના સમાપન પ્રસંગે એવોર્ડ અર્પણ કરી પ્રોત્સાહીત કરવા માટે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સર્વે ઉપસ્થિત મહાનુભાવોએ પંચમુખી હનુમાનજી પાસે વેજીટેબલ રોડ પર રસ્તાની સફાઈ કરી હતી તથા પંચમુખી હનુમાનજી મંદિરના પરિસરમાં એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. અને આ તકે કલેક્ટર કે.બી. ઝવેરીડીડીઓ જે.એસ. પ્રજાપતિમોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ સહિતના અધિકારીઓએ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા






Latest News