મોરબીના આમરણ નજીક ટેન્કર ચાલકે ડબલ સવારી બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત, એકને ઇજા મોરબીમાં ઘરમાં કબાટના લોક ખોલીને સોનાના દાગીના સહિત 1.93 લાખના મુદામાલની ચોરી લાલચ બૂરી બલા હૈ: મોરબીના આધેડને ઘરે બેઠા ઓનલાઈન વર્ક કરી કમાણી કરવાની લાલચ આપીને 62.93 લાખની છેતરપિંડી મોરબીમાં ખાનપર ગામે યુવાનની માલીકીની જમીન ઉપર કબ્જો કરનાર બે શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના લખધીરપુર રોડે ગોડાઉનના પતરા ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના ખાનપર ગામે બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ વૃદ્ધાનું સારવારમાં મોત: વાંકાનેર નજીક અકસ્માતમાં યુવાનનું મોત હળવદના ખોડ ગામે રહેતી સગર્ભાનું શરીરમાં ચેપ લાગવાથી મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને રૂપિયા પાંચ લાખથી વધુની રકમ વ્યાજ સહિત મળી
Breaking news
Morbi Today

મોરબીના લજાઈ અને રાજપર ગામે ગાયોના લાભાર્થે શનિવારે નાટકો યોજાશે


SHARE















મોરબીના લજાઈ અને રાજપર ગામે ગાયોના લાભાર્થે શનિવારે નાટકો યોજાશે

મોરબીના લજાઈ ગામે અને રાજપર ગામે આવેલ ગૌશાળામાં રાખવામા આવેલ ગાયોના નિભાવ માટે દર વર્ષે નાટક કરવામાં આવે છે તેવી જ રીતે આગામી શનિવારે નાટકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઐતિહાસિક અને કોમિક નાટકો રજૂ કરવામાં આવશે જેથી કરીને નાટક જવા માટે અને ગાયોની સેવામાં સહયોગ આપવા માટે આયોજકોએ અપીલ કરેલ છે.

ટંકારા તાલુકાના લજાઈ ગમે ઈ.સ.૧૯૬૭ માં લજાઈ ગામના ગાયોનાં ગોંદરે થયેલ સંકલ્પ “અમારી ગાય કતલ ખાને કદી ન જાય" નિરાધાર, અંધ, અપંગ ગાયોનાં લાભાર્થે લજાઈ ગૌશાળા દ્વારા આયોજીત મહાન ઐતિહાસીક નાટક "ક્રુષ્ણ વસ્ટી યાને દાનેશ્વરી કર્ણ" સાથે હાસ્ય રસીક કોમીક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા ૫/૧૦ ને શનિવારના રોજ રાતે ૧૦:૦૦ કલાકે લજાઈ ગામનાં ગાયોનાં ગોંદરે આ બંને નાટક ભજવવામાં આવશે જેનું આયોજન સોહંમદત બાપુ તથા લજાઈ ગામ સમસ્ત દ્વારા કરવામાં આવ્યું છે જેથી કરીને ગામના લોકોને તેમજ આસપાસના લોકોને ત્યાં આવવા માટે જાહેર આમંત્રણ આપેલ છે

આવી જ રીતે મોરબીના રાજપર ગામે આવેલ ગૌશાળામાં નિરાધાર ગાયોને રાખવામા આવેલ છે તેના લાભાર્થે ઐતિહાસિક નાટક દાનેશ્વરી કર્ણ અને તેની સાથે કોમિક નાટક દયારામ નો દીકરો તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને લોકોને પેટ પકડીને હસાવવા માટે ગગુળીયાની ટીમને પણ બોલાવવામાં આવી છે આ નાટક આગામી તા. ૧/૧૦ ને શનિવારે રોજ રાત્રે ૯:૩૦ કલાકે રાજપર ગામે યોજાશે ત્યારે લોકોને મજા કરવા માટે અને ગાયોના કામમાં સેવા આપવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.






Latest News