મોરબીના લજાઈ અને રાજપર ગામે ગાયોના લાભાર્થે શનિવારે નાટકો યોજાશે
મોરબીના વીસીપરામાં આવેલ ખાદી કાર્યાલય ખાતે ગાંધી જન્મ જયંતી ઉજવાઇ
SHARE








મોરબીના વીસીપરામાં આવેલ ખાદી કાર્યાલય ખાતે ગાંધી જન્મ જયંતી ઉજવાઇ
બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની ઊજવણી ઠેરઠેર કરવામાં આવી હતિઉ ત્યારે શ્રી મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ દ્વારા મોરબીના વીસીપરામાં આવેલ ખાદી કાર્યાલય ખાતે સંસ્થાના પ્રમુખ દેવકણભાઈ કે. કંઝારિયાના માર્ગદર્શન મુજબ સંસ્થાના સભ્યઓ, સેવકો અને વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીજીની જન્મ જયંતીની ઊજવણી કરવામાં આવી હતી ત્યારે સંસ્થાના પૂર્વ પ્રમુખ સ્વ.ગોકલદાસ પરમારના સ્ટેચ્યુને સુતરની આંટી પહેરાવી હતી અને ડો. લખમણભાઇ કંઝારિયાએ ગાંધીના જીવનમાં બનેલા પ્રસંગો રજૂ કર્યા હતા અને ત્યાર બાદ સમૂહમાં સર્વધર્મ પ્રાર્થના અને રામધૂન બોલી ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવેલ હતી.

