મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા બાળકોના જન્મદિવસની દાનરાશિમાંથી ૧૦૦ તાડપત્રીનું વિતરણ કરાયું  મોરબીમાં મિત્ર સાથેના જૂના ઝઘડાનો ખાર રાખીને છરી, ધોકા અને પાઈપ વડે હુમલો: યુવાનને છરીના ઘા ઝીકયા, 5 સામે ફરિયાદ વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં અને મોરબીના રાજપર ગામે ઇલેક્ટ્રીક શૉટ લાગતાં એક-એક યુવાનનું મોત મોરબીના સનાળા ગામે જાહેરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 વ્યક્તિ 51,600 ની રોકડ સાથે પકડાયા વાંકાનેરના સરતાનપર રોડે બંધ પડેલા ટ્રકને રીપેર કરતાં સમયે માથા ઉપર જોઇન્ટ પડતાં ઇજા પામેલા યુવાનનું મોત સરકાર કયારે જાગશે?: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનમાં બે મહિલા ઉપવાસની તબિયત લથડી ગાંધીનગર ખાતે સરકાર સાથે ચર્ચા કરવા જવાનો મોરબીના જેતપર ગામના ખેડૂતોનો ઇનકાર: યોગ્ય વળતર માટે 6 સ્પષ્ટ માંગણી ખેડૂતોએ મોકલવી દીધી મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સરકારી જમીન ઉપર દબાણ કરીને કરેલ કમાણીની રિકવરી-લેન્ડ ગગ્રેબિંગનો ગુનો નોંધવા કોંગ્રેસની માંગ


SHARE











મોરબીમાં સરકારી જમીન ઉપર દબાણ કરીને કરેલ કમાણીની રિકવરી-લેન્ડ ગગ્રેબિંગનો ગુનો નોંધવા કોંગ્રેસની માંગ

મોરબી  શહેર જિલ્લામાં ભાજપના આગેવાનો પહેલા સરકારી જમીનનો કબજો કરે અને પછી કહે કે તેને દબાણ કરેલ જમીન ખાલી કરી નાખેલ છે આ તો કેવી વાતો સરકારી જમીન પર  અત્યાર સુધી દબાણ કરી લાખો રૂપિયાની કમાણી કરી હવે ભાજપના આગેવાન સરકારના પક્ષમાં હોય  સ્વયંભૂ દબાણ દૂર કરીને જમીન ખાલી કરે છે.

મોરબી શહેરની પ્રજાને તો એવું લાગે છે કે મોરબીનું રેવન્યુ તંત્ર અને કલેકટર ભાજપના આ આગેવાનના ઘૂંટણીએ પડી ગયેલ છે. કારણ કે તાજેતરમાં નાગબાઈ માતાજીનાં મંદિરનુ ડિમોલિશન તંત્ર દ્વારા કરવાં આવ્યું છે તો પછી ભાજપના આગેવાને જે સરકારી જમીન ઉપર દબાણ કર્યું હતું તેનું ડિમોલિશન કેમ કરવામાં આવ્યું નહીં ? તેવો સવાલ મોરબી જિલ્લા કોંગ્રેસનાં માજી મહામંત્રી મહેશભાઇ રાજ્યગુરુ દ્વારા ઉઠાવવામાં આવેલ છે. અને વધુમાં કહ્યું છે કે સામાન્ય માણસે જો દબાણ કર્યું હોય તો તેની સામે લેન્ડ ગ્રેબિંગ કરવામાં આવે છે તો પછી ભાજપના આગેવાને તો વર્ષો સુધી સરકારી જમીન ઉપર દબાણ કર્યું હતું તો પછી તેની સામે કેમ અધિકારી દ્વારા લેન્ડ ગ્રેબિંગ કરવામાં આવી રહી નથી તે પણ તપાસનો વિષય છે. અને વધુમાં મહેશભાઇ રાજ્યગુરુએ કહ્યું છે કે, જો રેવન્યુના અઘિકારી અને કલેકટર ભાજપ કે પછી ભાજપના આગેવાનથી ડરતા ન હોય તો સરકારી જમીન ઉપર દબાણ કરીને ભાજપના આગેવાને જે કમાણી કરેલ છે તેની રિકવરી કરવામાં આવે અને ભાજપના આગેવાન સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી તેની માંગ છે.






Latest News