ભારત સરકારે બહાર પડશે 75 રૂપિયાનો સિક્કો: મોરબીના મિતેષભાઈ દવેએ મેળવી સ્મારક ટપાલ ટિકિટ
મોરબીના લજાઈ અને રાજપર ગામે ગાયોના લાભાર્થે શનિવારે નાટકો યોજાશે
SHARE








મોરબીના લજાઈ અને રાજપર ગામે ગાયોના લાભાર્થે શનિવારે નાટકો યોજાશે
મોરબીના લજાઈ ગામે અને રાજપર ગામે આવેલ ગૌશાળામાં રાખવામા આવેલ ગાયોના નિભાવ માટે દર વર્ષે નાટક કરવામાં આવે છે તેવી જ રીતે આગામી શનિવારે નાટકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઐતિહાસિક અને કોમિક નાટકો રજૂ કરવામાં આવશે જેથી કરીને નાટક જવા માટે અને ગાયોની સેવામાં સહયોગ આપવા માટે આયોજકોએ અપીલ કરેલ છે.
ટંકારા તાલુકાના લજાઈ ગમે ઈ.સ.૧૯૬૭ માં લજાઈ ગામના ગાયોનાં ગોંદરે થયેલ સંકલ્પ “અમારી ગાય કતલ ખાને કદી ન જાય" નિરાધાર, અંધ, અપંગ ગાયોનાં લાભાર્થે લજાઈ ગૌશાળા દ્વારા આયોજીત મહાન ઐતિહાસીક નાટક "ક્રુષ્ણ વસ્ટી યાને દાનેશ્વરી કર્ણ" સાથે હાસ્ય રસીક કોમીક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા ૫/૧૦ ને શનિવારના રોજ રાતે ૧૦:૦૦ કલાકે લજાઈ ગામનાં ગાયોનાં ગોંદરે આ બંને નાટક ભજવવામાં આવશે જેનું આયોજન સોહંમદત બાપુ તથા લજાઈ ગામ સમસ્ત દ્વારા કરવામાં આવ્યું છે જેથી કરીને ગામના લોકોને તેમજ આસપાસના લોકોને ત્યાં આવવા માટે જાહેર આમંત્રણ આપેલ છે
આવી જ રીતે મોરબીના રાજપર ગામે આવેલ ગૌશાળામાં નિરાધાર ગાયોને રાખવામા આવેલ છે તેના લાભાર્થે ઐતિહાસિક નાટક દાનેશ્વરી કર્ણ અને તેની સાથે કોમિક નાટક દયારામ નો દીકરો તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને લોકોને પેટ પકડીને હસાવવા માટે ગગુળીયાની ટીમને પણ બોલાવવામાં આવી છે આ નાટક આગામી તા. ૧/૧૦ ને શનિવારે રોજ રાત્રે ૯:૩૦ કલાકે રાજપર ગામે યોજાશે ત્યારે લોકોને મજા કરવા માટે અને ગાયોના કામમાં સેવા આપવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.

