મોરબીના ડૉ. મનીષ સનારિયાએ આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું મોરબી : વિમેદારને ડાયાબિટીસ છે તેમ કહીને વીમો ન ચૂકવનાર વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર વૃક્ષ તૂટીને કાર ઉપર પડ્યું: આવાસ યોજનામાં પાણીની ટાંકી ઊડી  મોરબી નવયુગ નર્સિંગ કોલેજમાં ‘ઓથ સેરેમની–૨૦૨૬’ ની ઉજવણી કરાઇ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે કતલખાને લઈ જવાતા 3 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા મોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધી રોડ રીપેરિંગ-દબાણ દૂર કરવા કમીશ્નરને કરાઇ રજુઆત મોરબીના ચાવડા પરિવારે દીકરી વ્હાલના દરિયારૂપે પુત્રી રત્નના જન્મને ફૂલડે વધાવ્યો મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીના લજાઈ અને રાજપર ગામે ગાયોના લાભાર્થે શનિવારે નાટકો યોજાશે


SHARE













મોરબીના લજાઈ અને રાજપર ગામે ગાયોના લાભાર્થે શનિવારે નાટકો યોજાશે

મોરબીના લજાઈ ગામે અને રાજપર ગામે આવેલ ગૌશાળામાં રાખવામા આવેલ ગાયોના નિભાવ માટે દર વર્ષે નાટક કરવામાં આવે છે તેવી જ રીતે આગામી શનિવારે નાટકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઐતિહાસિક અને કોમિક નાટકો રજૂ કરવામાં આવશે જેથી કરીને નાટક જવા માટે અને ગાયોની સેવામાં સહયોગ આપવા માટે આયોજકોએ અપીલ કરેલ છે.

ટંકારા તાલુકાના લજાઈ ગમે ઈ.સ.૧૯૬૭ માં લજાઈ ગામના ગાયોનાં ગોંદરે થયેલ સંકલ્પ “અમારી ગાય કતલ ખાને કદી ન જાય" નિરાધાર, અંધ, અપંગ ગાયોનાં લાભાર્થે લજાઈ ગૌશાળા દ્વારા આયોજીત મહાન ઐતિહાસીક નાટક "ક્રુષ્ણ વસ્ટી યાને દાનેશ્વરી કર્ણ" સાથે હાસ્ય રસીક કોમીક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા ૫/૧૦ ને શનિવારના રોજ રાતે ૧૦:૦૦ કલાકે લજાઈ ગામનાં ગાયોનાં ગોંદરે આ બંને નાટક ભજવવામાં આવશે જેનું આયોજન સોહંમદત બાપુ તથા લજાઈ ગામ સમસ્ત દ્વારા કરવામાં આવ્યું છે જેથી કરીને ગામના લોકોને તેમજ આસપાસના લોકોને ત્યાં આવવા માટે જાહેર આમંત્રણ આપેલ છે

આવી જ રીતે મોરબીના રાજપર ગામે આવેલ ગૌશાળામાં નિરાધાર ગાયોને રાખવામા આવેલ છે તેના લાભાર્થે ઐતિહાસિક નાટક દાનેશ્વરી કર્ણ અને તેની સાથે કોમિક નાટક દયારામ નો દીકરો તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને લોકોને પેટ પકડીને હસાવવા માટે ગગુળીયાની ટીમને પણ બોલાવવામાં આવી છે આ નાટક આગામી તા. ૧/૧૦ ને શનિવારે રોજ રાત્રે ૯:૩૦ કલાકે રાજપર ગામે યોજાશે ત્યારે લોકોને મજા કરવા માટે અને ગાયોના કામમાં સેવા આપવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.




Latest News