મોરબીના રાતાભેર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત હળવદ પોલીસ લાઈનમાં જમાદારના ઘરે સમાધાન માટે આવેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓ પર ગ્રાઉન્ડમાં છરી વડે હુમલો: હવે સામસામે ફરિયાદ મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે
Breaking news
Morbi Today

મોરબીમાં સરકારી જમીન ઉપર દબાણ કરીને કરેલ કમાણીની રિકવરી-લેન્ડ ગગ્રેબિંગનો ગુનો નોંધવા કોંગ્રેસની માંગ


SHARE













મોરબીમાં સરકારી જમીન ઉપર દબાણ કરીને કરેલ કમાણીની રિકવરી-લેન્ડ ગગ્રેબિંગનો ગુનો નોંધવા કોંગ્રેસની માંગ

મોરબી  શહેર જિલ્લામાં ભાજપના આગેવાનો પહેલા સરકારી જમીનનો કબજો કરે અને પછી કહે કે તેને દબાણ કરેલ જમીન ખાલી કરી નાખેલ છે આ તો કેવી વાતો સરકારી જમીન પર  અત્યાર સુધી દબાણ કરી લાખો રૂપિયાની કમાણી કરી હવે ભાજપના આગેવાન સરકારના પક્ષમાં હોય  સ્વયંભૂ દબાણ દૂર કરીને જમીન ખાલી કરે છે.

મોરબી શહેરની પ્રજાને તો એવું લાગે છે કે મોરબીનું રેવન્યુ તંત્ર અને કલેકટર ભાજપના આ આગેવાનના ઘૂંટણીએ પડી ગયેલ છે. કારણ કે તાજેતરમાં નાગબાઈ માતાજીનાં મંદિરનુ ડિમોલિશન તંત્ર દ્વારા કરવાં આવ્યું છે તો પછી ભાજપના આગેવાને જે સરકારી જમીન ઉપર દબાણ કર્યું હતું તેનું ડિમોલિશન કેમ કરવામાં આવ્યું નહીં ? તેવો સવાલ મોરબી જિલ્લા કોંગ્રેસનાં માજી મહામંત્રી મહેશભાઇ રાજ્યગુરુ દ્વારા ઉઠાવવામાં આવેલ છે. અને વધુમાં કહ્યું છે કે સામાન્ય માણસે જો દબાણ કર્યું હોય તો તેની સામે લેન્ડ ગ્રેબિંગ કરવામાં આવે છે તો પછી ભાજપના આગેવાને તો વર્ષો સુધી સરકારી જમીન ઉપર દબાણ કર્યું હતું તો પછી તેની સામે કેમ અધિકારી દ્વારા લેન્ડ ગ્રેબિંગ કરવામાં આવી રહી નથી તે પણ તપાસનો વિષય છે. અને વધુમાં મહેશભાઇ રાજ્યગુરુએ કહ્યું છે કે, જો રેવન્યુના અઘિકારી અને કલેકટર ભાજપ કે પછી ભાજપના આગેવાનથી ડરતા ન હોય તો સરકારી જમીન ઉપર દબાણ કરીને ભાજપના આગેવાને જે કમાણી કરેલ છે તેની રિકવરી કરવામાં આવે અને ભાજપના આગેવાન સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી તેની માંગ છે.






Latest News