મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારાના બંગાવડી ગામે ઘરમાં જ યુવાને ન કરવાનું કરી નાખ્યું


SHARE













ટંકારાના બંગાવડી ગામે ઘરમાં જ યુવાને ન કરવાનું કરી નાખ્યું

ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતા યુવાને કોઈ કારણોસર પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના પરિવારજન દ્વારા ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતા વિનોદભાઈ પીઠાભાઈ પડાયા (42)એ પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના નાના ભાઈ લાલજીભાઈ પીઠાભાઈ પડાયા (35) રહે. બંગાવડી વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ અંગેની આગળની તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના આઇ.ટી. જામ ચલાવી રહ્યા હોય તેની સાથે વાતા કરતાં મૃતક યુવાનને માનસિક તકલીફ હતી તેવું તેના ભાઈ પાસેથી જાણવા મળેલ છે જેની પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

છરી લાગતા સારવારમાં
મોરબીના શનાળા રોડ ગોકુલ ટેલિકોમ નજીક ફુટપાથ ઉપર રહેતા અર્પિત સુરસિંગ ડામોર નામના ૧૮ વર્ષના યુવાન ઉપર સિવિલ હોસ્પિટલ ચોક નજીક અજાણ્યા ઇસમે હુમલો કર્યો હતો.જેમા સાથળના ભાગે છરી જીકે દેવાતા અર્પિત ડામોર નામના યુવાને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના મચ્છુ ડેમ પાસે મોટરસાયકલ અને કાર વચ્ચે થયેલ અકસ્માત બનાવમાં સંજય કરશનભાઈ ગામોટ (ઉમર ૨૨) રહે.મૂળ બનાસકાંઠા હાલ રહે.મોરબીને ઇજાઓ પહોંચી હતી.જેથી સારવાર માટે ખસેડાયો હતો.


યુવાનનું મોત
મોરબીના મહેન્દ્રનગર ગામે એપાર્ટમેન્ટમાં લાદીનું કામ કરતા સમયે બેભાન થઈ જવાથી પપ્પુરામ રામકરણ વર્મા (ઉમર ૩૯) નામના યુવાનને તેના કુટુંબી મોતીલાલ દ્વારા સારવાર માટે સિવિલે ખસેડાવવામાં આવ્યો હતો.પરંતુ અહીં હોસ્પિટલ ખાતે તબિબ દ્વારા જોઈ તપાસીને પપ્પુરામ વર્માને મૃત જાહેર કરાયો હતો અને બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડાએ આ કેસની તપાસ કરી હતી.    








Latest News