હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી:શ્રીઔદીચ્ય વિદ્યોતેજક મંડળ મોરબી દ્વારા દશેરાના પાવન પર્વે  ત્રિવિધ કાર્યક્રમ યોજાશે: ટંકારાના સજનપર ગામની શાળામાં ગૌસ્વામી પરિવારની અનોખી પહેલ


SHARE













મોરબી:શ્રીઔદીચ્ય વિદ્યોતેજક મંડળ મોરબી દ્વારા દશેરાના પાવન પર્વે  ત્રિવિધ કાર્યક્રમ યોજાશે

વિદ્યાર્થી તેજસ્વીતા અભિવાદન સમારોહ, શસ્ત્ર પૂજન તથા શાસ્ત્રનું વિધિવત પૂજનનું આયોજન કરાશે

મોરબી ઔદીચ્ય વિધોતેજક મંડળના પ્રમુખ ભુપતભાઇ પંડ્યા, ઉપ પ્રમુખ મહેશભાઇ ભટ્ટ અને મનીષભાઈ યાજ્ઞિક તેમજ મહામંત્રી નરેન્દ્રભાઈ મહેતાની યાદીમાં જણાવ્યા અનુસાર તા.૧૨ ઓક્ટોબર વિજ્યા દશમીના પાવન પર્વના દિવસે તેજસ્વીતા અભિવાદન સમારોહ અને શસ્ત્ર તથા શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવશે.

આ ત્રિવિધ કાર્યક્રમની ઉજવણી વિજ્યાદશમી તારીખ ૧૨ ઓકટોબર ૨૦૨૪ને શનિવારે ઔદીચ્ય જ્ઞાતિની ભોજનશાળા સબજેલ પાસે વાંકાનેર દરવાજા, ખાતે સાંજે ૫ વાગ્યે રાખવામાં આવેલ છે. જે અંતર્ગત તેજસ્વીતા અભિવાદનમાં ધોરણ ૧થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને શિલ્ડ વિતરણ કરી પ્રમાણપત્ર આપવામાં આવશે તથા શસ્ત્ર પૂજન તેમજ શાસ્ત્ર પૂજન કરવામાં આવશે. તો આ ત્રિવિધ સમારંભમાં જોડાવા ઔદીચ્ય વિદ્યોતેજક મંડળના દરેક આજીવન સભ્યોને આ સમારંભમાં હાજર રહી આપના બાળકોને પ્રોત્સાહિત કરવા અચૂક હાજર રહેશો.ઉપરોક્ત ત્રિવિધ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ, મંત્રી તથા સર્વે ટ્રસ્ટી દ્વારા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે તેવું યાદીમાં જણાવવામાં આવ્યું છે.

ટંકારાના સજનપર ગામની શાળામાં ગૌસ્વામી પરિવારની અનોખી પહેલ

માતાજીના છઠ્ઠા નોરતે તા.8-10-2024 ને મંગળવારના રોજ મોરબીના CA સુકેતુગીરીભાઈ ગૌસ્વામી દ્વારા પી.એમ.શ્રી સજનપર પ્રા. શાળાની નવદુર્ગા સમાન બાળાઓને ચણિયા ચોલી માટે રૂ. 5001 રોકડા અને આ શાળા તેમજ નવા સજનપર પ્રા. શાળાના તમામ બાળકોને ભૂંગળા-બટેટા અને ઠંડી છાસનું જમણવાર કરાવેલ છે શાળાના તમામ બાળકો ખૂબ જ પ્રેમથી જમ્યા હતા.આવા શ્રેષ્ઠ કાર્ય બદલ તમામ બાળકો અને શાળા પરિવાર વતી આચાર્યશ્રી અલ્પેશભાઈ પુજારાએ માતાજી ગૌસ્વામી પરિવારને હંમેશા ખુશ રાખે એવી પ્રાર્થના સહ ખૂબ ખૂબ  આભાર વ્યક્ત કરેલ છે.

 






Latest News