મોરબી મનપાએ કટ કરાવેલ વ્રજ વાટિકા બિલ્ડિંગનું વિજ કનેક્શન હાઇકોર્ટના આદેશથી જોડી દેવાયું મોરબી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સ્પર્ધાના વિજેતાઓને એસપીના હસ્તે ઇનામ વિતરણ કરાયું મોરબીની સાર્થક વિદ્યામંદિર-સરસ્વતી શિશુ મંદિર શાળાને મળ્યું સંસ્કૃત સન્માન મોરબી ભારત વિકાસ પરિષદ અને IMA દ્વારા ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાયો માળીયા (મીં)ના વર્ષામેડી ફાટકથી બોડકી જવાના રસ્તા જામગરી બંદુક સાથે એક શખ્સ પકડાયો ટંકારાના અપહરણ-પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીમાં સ્વ.મધુવન ભગવાનજીભાઈ મકવાણાના સ્મરણાર્થે સ્કૂલ કીટનું વિતરણ: ​​​​​​​મોટીબરારની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી જિલ્લાના સજનપર, હડમતીયા, રોટરીગ્રામ, અમરનગર, શક્તિનગર, રવાપર નદી, ભક્તિનગર, ત્રાજપર, ભડિયાદ ગામે શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો
Breaking news
Morbi Today

મોરબી:શ્રીઔદીચ્ય વિદ્યોતેજક મંડળ મોરબી દ્વારા દશેરાના પાવન પર્વે  ત્રિવિધ કાર્યક્રમ યોજાશે: ટંકારાના સજનપર ગામની શાળામાં ગૌસ્વામી પરિવારની અનોખી પહેલ


SHARE















મોરબી:શ્રીઔદીચ્ય વિદ્યોતેજક મંડળ મોરબી દ્વારા દશેરાના પાવન પર્વે  ત્રિવિધ કાર્યક્રમ યોજાશે

વિદ્યાર્થી તેજસ્વીતા અભિવાદન સમારોહ, શસ્ત્ર પૂજન તથા શાસ્ત્રનું વિધિવત પૂજનનું આયોજન કરાશે

મોરબી ઔદીચ્ય વિધોતેજક મંડળના પ્રમુખ ભુપતભાઇ પંડ્યા, ઉપ પ્રમુખ મહેશભાઇ ભટ્ટ અને મનીષભાઈ યાજ્ઞિક તેમજ મહામંત્રી નરેન્દ્રભાઈ મહેતાની યાદીમાં જણાવ્યા અનુસાર તા.૧૨ ઓક્ટોબર વિજ્યા દશમીના પાવન પર્વના દિવસે તેજસ્વીતા અભિવાદન સમારોહ અને શસ્ત્ર તથા શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવશે.

આ ત્રિવિધ કાર્યક્રમની ઉજવણી વિજ્યાદશમી તારીખ ૧૨ ઓકટોબર ૨૦૨૪ને શનિવારે ઔદીચ્ય જ્ઞાતિની ભોજનશાળા સબજેલ પાસે વાંકાનેર દરવાજા, ખાતે સાંજે ૫ વાગ્યે રાખવામાં આવેલ છે. જે અંતર્ગત તેજસ્વીતા અભિવાદનમાં ધોરણ ૧થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને શિલ્ડ વિતરણ કરી પ્રમાણપત્ર આપવામાં આવશે તથા શસ્ત્ર પૂજન તેમજ શાસ્ત્ર પૂજન કરવામાં આવશે. તો આ ત્રિવિધ સમારંભમાં જોડાવા ઔદીચ્ય વિદ્યોતેજક મંડળના દરેક આજીવન સભ્યોને આ સમારંભમાં હાજર રહી આપના બાળકોને પ્રોત્સાહિત કરવા અચૂક હાજર રહેશો.ઉપરોક્ત ત્રિવિધ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ, મંત્રી તથા સર્વે ટ્રસ્ટી દ્વારા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે તેવું યાદીમાં જણાવવામાં આવ્યું છે.

ટંકારાના સજનપર ગામની શાળામાં ગૌસ્વામી પરિવારની અનોખી પહેલ

માતાજીના છઠ્ઠા નોરતે તા.8-10-2024 ને મંગળવારના રોજ મોરબીના CA સુકેતુગીરીભાઈ ગૌસ્વામી દ્વારા પી.એમ.શ્રી સજનપર પ્રા. શાળાની નવદુર્ગા સમાન બાળાઓને ચણિયા ચોલી માટે રૂ. 5001 રોકડા અને આ શાળા તેમજ નવા સજનપર પ્રા. શાળાના તમામ બાળકોને ભૂંગળા-બટેટા અને ઠંડી છાસનું જમણવાર કરાવેલ છે શાળાના તમામ બાળકો ખૂબ જ પ્રેમથી જમ્યા હતા.આવા શ્રેષ્ઠ કાર્ય બદલ તમામ બાળકો અને શાળા પરિવાર વતી આચાર્યશ્રી અલ્પેશભાઈ પુજારાએ માતાજી ગૌસ્વામી પરિવારને હંમેશા ખુશ રાખે એવી પ્રાર્થના સહ ખૂબ ખૂબ  આભાર વ્યક્ત કરેલ છે.

 






Latest News