ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં રાતીદેવરી-પંચાસર ગામમાં વાહનોની અવર-જવર પર પ્રતિબંધ


SHARE













મોરબી જીલ્લામાં રાતીદેવરી-પંચાસર ગામમાં વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

વાંકાનેર શહેર વિસ્તારમાં આવેલ રાતીદેવરી- પંચાસર ગામને જોડતો મચ્છુ નદી ઉપર આવેલ ઓવરબ્રિજ પુલ નીચે બેસી જતાં તૂટી જવાને કારણે હાલ ઓવરબ્રિજ ઉપરથી વાહનવ્યવહાર બંધ કરવામાં આવેલ છે. તેમજ ચંદ્રપુર માર્ગ, જીનપરા ચોક, સિટી સ્ટેશન રોડધર્મચોક આ તમામ વિસ્તારોમાં હાલમાં નવરાત્રિના તહેવારને લીધે વાહનોની સતત અવર જવર રહેતી હોય છે. તેથી મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.ઝવેરી દ્વારા મોરબી- વાંકાનેરથી રાજકોટ તરફ જતાં વાહનો માટે મોરબી શહેરના મુખ્ય માર્ગ પર આગામી તારીખ ૧૨/૧૦/૨૦૨૪ સુધી રાત્રિના ૦૮:૦૦ કલાકથી સવારના ૦૬:૦૦ કલાક સુધી વૈકલ્પિક માર્ગ તરફ આવવા જવા માટે વૈકલ્પિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર રાજકોટ શહેર તથા ટંકારા મીતાણા, જામનગર  તરફથી આવતા ભારે વાહનો અમરસર ફાટક- સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યુ- બસ સ્ટેન્ડ રોડ- દીવાનપરા રોડ- અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ- સરકારી હોસ્પિટલ રોડ- રાતીદેવરી ગામ- વાંકીયા ગામ- નેશનલ હાઈવે તરફ અવર જવર કરી શકાશે. તેમજ મોરબી તરફથી આવતા ભારે વાહનો નેશનલ હાઇવે- વાંકીયા ગામ- રાતીદેવરી- સરકારી હોસ્પિટલ રોડ- અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ- દીવાનપરા રોડ- બસ સ્ટેન્ડ રોડ- સ્વામી  વિવેકાનંદજી સ્ટેચ્યુ- રાજકોટ રોડ તરફ તથા અમરસર ગામ- મીતાણા- ટંકારા- જામનગર તરફ અવર જવર કરી શકાશે.

રાજકોટ શહેર- ટંકારા મીતાણા- જામનગર તરફથી આવતા ભારે વાહનો અમરસર ફાટકથી સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યુ- બસ સ્ટેન્ડ રોડ- દીવાનપરા રોડ- અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ- સરકારી હોસઇપટલ રોડ- રાતીદેવરી ગામ- જડેશ્વર રોડ- મોરબી તરફ અવર જવર કરી શકાશે. ઉપરાંત ટંકારા- લજઈથી આવતા વાહનો જડેશ્વર રોડ- મોરબી તરફ આવી જઈ શકશે. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો, સરકારી વાહનો, નગરપાલિકાના વાહનો, પી.જી.વી.સી.એલ.ના વાહનો, શબવાહિની, એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર, સ્કૂલ અને કોલેજના વાહનો, સામાજિક કે ધાર્મિક કાર્ય સાથે સંકળાયેલા વાહનો, આવશ્યક ચીજવસ્તુઓ સાથે સંકળાયેલા તમામ વાહનો તેમજ પૂર્વ મંજૂરી મેળવેલ હોય તો તેવા વાહનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવે છે. ઉક્ત હુકમનો ભંગ કરનારી વ્યક્તિ શિક્ષાને પાત્ર બનશે.






Latest News