મોરબી જીલ્લામાં આવકના દાખલા માટે વિદ્યાર્થીઓને થતાં ધક્કા નિવારવા કલેક્ટરને રજૂઆત ​​​​​​​મોરબી : પાસા કરવાની સતા જીલ્લા એસ.પી.ને આપવા તેમજ જીલ્લા વાઇઝ પોલીસ મોનોગ્રામ અલગ કરવા માંગ મોરબીમાં ભૂલા પડી ગયેલા વૃદ્ધાનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ મોરબીની માધાપરવાડી કન્યા શાળા ખાતે ગ્રામ્ય વસ્તીગણતરી માટેના ગણતરીદારોની તાલીમ અપાઈ ભૂતકાળનું પુનરાવર્તન !?: મોરબી મનપા સંચાલિત નંદીઘરમા 9 જેટલા ખૂંટીયાના મોતથી અરેરાટી જળ વ્યવસ્થાપન માટે મોરબીના લક્ષ્મીવાસ ગામનું દિલ્હી ખાતે રાષ્ટ્રપતિની હાજરીમાં કરાયું સન્માન મોરબી ITI ખાતે મહિલાઓ માટે અત્યાધુનિક કોર્સ-૧૦૦ બેડની નવી હોસ્ટેલ શરૂ થશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા મોરબીના લાલપર પાસે મનપાની ડમ્પિંગ સાઈટ 24 કલાક સગળતા ઘન કચરાથી સ્થાનિકો-ઉદ્યોગકારો ત્રાહિમામ
Breaking news
Morbi Today

પ્રેમ પ્રકરણ: હળવદ તાલુકાનાં માનસરમાં પિતરાઈ ભાઈ અને બહેને સજોડે આપઘાત કર્યો


SHARE











પ્રેમ પ્રકરણ: હળવદ તાલુકાનાં માનસરમાં પિતરાઈ ભાઈ અને બહેને સજોડે આપઘાત કર્યો

મોરબી જીલ્લામાં ઘણા લોકો રોજગારી માટે આવે છે તેવી જ રીતે હળવદના માનસર ગામે છોટાઉદેપુર જિલ્લામાંથી ખેત મજૂરી કરવા પરિવાર આવેલ હતો અને પિતરાઈ ભાઈ તેમજ બહેનને પ્રેમ સબંધ હતો. જો કે, એક નહીં થઈ શકે તેની ચિંતામાં માનસર ગામની સીમમાં વીજ પોલ સાથે ગળાફાંસો ખાઈને સજોડે આપઘાત કરેલ છે. જેથી કરીને પોલીસે તે અંગેની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલ હળવદના માનસર ગામે હસમુખભાઈ ગોહિલની વાડીએ રાઇન મજૂરી કામ કરતાં આરતીબેન નવલસિંહ તડવી (20) અને સંજયભાઈ કનુભાઈ તડવી (23) એક દિવસથી ગુમ હતા જેથી તેને શોધી રહ્યા હતા અને તેનો કોઈ જગ્યાએથી પત્તો લાગેલ ન હતો દરમ્યાન માનસર ગામની સીમમાં સુરેશભાઈની વાડી પાસે વીજ પોલ ઉપરથી ગળાફાંસો ખાધેલ હાલતમાં આરતીબેન અને સંજયભાઈનો આપઘાત કરેલ હાલતમાં મૃતદેહ મળી આવેલ હતો જેથી કરીને બંનેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને પ્રાથમિક તપાસમાં એવી માહિતી સામે આવી હતી જે મૃતક બંને પિતરાઈ ભાઈ અને બહેન છે અને બન્ને વચ્ચે પ્રેમ સંબંધ હતો જો કે, સમાજ એક નહીં થવા દે તેની ચિંતામાં અંતિમ પગલું ભરી લીધેલ છે તેવી લાગી રહ્યું છે.






Latest News