અધ્યયન મંડળ મોરબી દ્વારા આવતા ગુરુવારે બૌદ્ધિક કાર્યશાળા મોરબીમાં  મહિલા દિવસ નિમિતે શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા મેડિકેલ કેમ્પ યોજાયો મોરબી પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ-ફાયરની ટીમ દોડી આવી મોરબીમાં છેલ્લા 3 દિવસમાં પ્રોપેન ગેસ આધારિત વધુ 70 કારખાના બંધ, ઈરાન-ઇઝરાયલના યુધ્ધ પછી કુલ 170 સિરામિક કારખાના બંધ થયા મોરબીની રવિરાજ ચોકડીના પુલ ઉપર આગળ જતા વાહનની પાછળ ક્રેટા ગાડી અથડાતા માથા અને શરીરે ઇજા થતાં યુવાનનું મોત મોરબીમાં લોહીની ઉલટી થયા બાદ યુવાનનું મોત હળવદના નવા વેગડવાવ ગામે ખેતરમાં ઘઉં કાપવાના કટર મશીન ઉપર ચડેલા યુવાનનું ઇલેક્ટ્રિક શોટ લાગતા મોત ​​​​​​​મોરબીના હાઉસિંગ બોર્ડમાં રહેતા આધેડે પોતાના જ ઘરમાં અંતિમ પગલું ભરી લેતા મોત
Breaking news
Morbi Today

પ્રેમ પ્રકરણ: હળવદ તાલુકાનાં માનસરમાં પિતરાઈ ભાઈ અને બહેને સજોડે આપઘાત કર્યો


SHARE













પ્રેમ પ્રકરણ: હળવદ તાલુકાનાં માનસરમાં પિતરાઈ ભાઈ અને બહેને સજોડે આપઘાત કર્યો

મોરબી જીલ્લામાં ઘણા લોકો રોજગારી માટે આવે છે તેવી જ રીતે હળવદના માનસર ગામે છોટાઉદેપુર જિલ્લામાંથી ખેત મજૂરી કરવા પરિવાર આવેલ હતો અને પિતરાઈ ભાઈ તેમજ બહેનને પ્રેમ સબંધ હતો. જો કે, એક નહીં થઈ શકે તેની ચિંતામાં માનસર ગામની સીમમાં વીજ પોલ સાથે ગળાફાંસો ખાઈને સજોડે આપઘાત કરેલ છે. જેથી કરીને પોલીસે તે અંગેની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલ હળવદના માનસર ગામે હસમુખભાઈ ગોહિલની વાડીએ રાઇન મજૂરી કામ કરતાં આરતીબેન નવલસિંહ તડવી (20) અને સંજયભાઈ કનુભાઈ તડવી (23) એક દિવસથી ગુમ હતા જેથી તેને શોધી રહ્યા હતા અને તેનો કોઈ જગ્યાએથી પત્તો લાગેલ ન હતો દરમ્યાન માનસર ગામની સીમમાં સુરેશભાઈની વાડી પાસે વીજ પોલ ઉપરથી ગળાફાંસો ખાધેલ હાલતમાં આરતીબેન અને સંજયભાઈનો આપઘાત કરેલ હાલતમાં મૃતદેહ મળી આવેલ હતો જેથી કરીને બંનેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને પ્રાથમિક તપાસમાં એવી માહિતી સામે આવી હતી જે મૃતક બંને પિતરાઈ ભાઈ અને બહેન છે અને બન્ને વચ્ચે પ્રેમ સંબંધ હતો જો કે, સમાજ એક નહીં થવા દે તેની ચિંતામાં અંતિમ પગલું ભરી લીધેલ છે તેવી લાગી રહ્યું છે.




Latest News