મોરબી મનપાએ કટ કરાવેલ વ્રજ વાટિકા બિલ્ડિંગનું વિજ કનેક્શન હાઇકોર્ટના આદેશથી જોડી દેવાયું મોરબી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સ્પર્ધાના વિજેતાઓને એસપીના હસ્તે ઇનામ વિતરણ કરાયું મોરબીની સાર્થક વિદ્યામંદિર-સરસ્વતી શિશુ મંદિર શાળાને મળ્યું સંસ્કૃત સન્માન મોરબી ભારત વિકાસ પરિષદ અને IMA દ્વારા ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાયો માળીયા (મીં)ના વર્ષામેડી ફાટકથી બોડકી જવાના રસ્તા જામગરી બંદુક સાથે એક શખ્સ પકડાયો ટંકારાના અપહરણ-પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીમાં સ્વ.મધુવન ભગવાનજીભાઈ મકવાણાના સ્મરણાર્થે સ્કૂલ કીટનું વિતરણ: ​​​​​​​મોટીબરારની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી જિલ્લાના સજનપર, હડમતીયા, રોટરીગ્રામ, અમરનગર, શક્તિનગર, રવાપર નદી, ભક્તિનગર, ત્રાજપર, ભડિયાદ ગામે શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો
Breaking news
Morbi Today

પ્રેમ પ્રકરણ: હળવદ તાલુકાનાં માનસરમાં પિતરાઈ ભાઈ અને બહેને સજોડે આપઘાત કર્યો


SHARE















પ્રેમ પ્રકરણ: હળવદ તાલુકાનાં માનસરમાં પિતરાઈ ભાઈ અને બહેને સજોડે આપઘાત કર્યો

મોરબી જીલ્લામાં ઘણા લોકો રોજગારી માટે આવે છે તેવી જ રીતે હળવદના માનસર ગામે છોટાઉદેપુર જિલ્લામાંથી ખેત મજૂરી કરવા પરિવાર આવેલ હતો અને પિતરાઈ ભાઈ તેમજ બહેનને પ્રેમ સબંધ હતો. જો કે, એક નહીં થઈ શકે તેની ચિંતામાં માનસર ગામની સીમમાં વીજ પોલ સાથે ગળાફાંસો ખાઈને સજોડે આપઘાત કરેલ છે. જેથી કરીને પોલીસે તે અંગેની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલ હળવદના માનસર ગામે હસમુખભાઈ ગોહિલની વાડીએ રાઇન મજૂરી કામ કરતાં આરતીબેન નવલસિંહ તડવી (20) અને સંજયભાઈ કનુભાઈ તડવી (23) એક દિવસથી ગુમ હતા જેથી તેને શોધી રહ્યા હતા અને તેનો કોઈ જગ્યાએથી પત્તો લાગેલ ન હતો દરમ્યાન માનસર ગામની સીમમાં સુરેશભાઈની વાડી પાસે વીજ પોલ ઉપરથી ગળાફાંસો ખાધેલ હાલતમાં આરતીબેન અને સંજયભાઈનો આપઘાત કરેલ હાલતમાં મૃતદેહ મળી આવેલ હતો જેથી કરીને બંનેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને પ્રાથમિક તપાસમાં એવી માહિતી સામે આવી હતી જે મૃતક બંને પિતરાઈ ભાઈ અને બહેન છે અને બન્ને વચ્ચે પ્રેમ સંબંધ હતો જો કે, સમાજ એક નહીં થવા દે તેની ચિંતામાં અંતિમ પગલું ભરી લીધેલ છે તેવી લાગી રહ્યું છે.






Latest News