મોરબીમાં સીનીયર સીટીઝન કાઉન્સિલ દ્વારા સંગીત સંધ્યા યોજાશે
SHARE








મોરબીમાં સીનીયર સીટીઝન કાઉન્સિલ દ્વારા સંગીત સંધ્યા યોજાશે
મોરબી સીનીયર સીટીઝન કાઉન્સિલની યાદીમાં જણાવ્યુ છે કે, કાલે તા 13 ને રવિવારે બપોરે 3 થી રાત્રે 8 વાગ્યા સુધી કાયાજી પ્લોટ ધન્વન્તરી ભવન, મોરબી ખાતે સીનીયર સીટીઝન માટે ગીત સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સીનીયર સીટીઝનના સભ્યોને પોતાની રીતે ગીત ગાવાની તક આપવામાં આવશે. જેથી દરેક સભ્યને તેમાં આવવા માટે પ્રમુખ ડો. બી કે લહેરૂ, ઉપપ્રમુખ નરભેરામભાઈ અને મંત્રી મહેશભાઈ ભટ્ટની યાદીમાં જણાવ્યુ છે અને સ્પર્ધામાં વિજેતા બને તેને પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવશે.

