મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા


SHARE





મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા

મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા દર વર્ષે તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવતા હોય છે તેવી જ રીતે દશેરાના દિવસે મોરબીમાં વાંકાનેર દરવાજા પાછળ રામઘાટ નજીક આવેલ બ્રાહ્મણની ભોજનશાળા ખાતે તેજસ્વીતા અભિવાદન સમારોહ, શસ્ત્ર તથા શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામા આવેલ હતો આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ અનિલભાઈ મહેતા, પરશુરામ ધામ તેમજ ઔદિચ્ય વિદ્યોતેજક મંડળના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, દવે પંચોલી વિદ્યાર્થી ભુવનના પ્રમુખ કાંતિભાઈ ઠાકર, ભોજનશાળાના પ્રમુખ મયુરભાઈ શુકલ, શાસ્ત્રી વિપુલભાઈ શુકલ, વિદ્યોતેજક મંડળના મહામંત્રી નરેન્દ્રભાઈ મહેતા, અનિલભાઈ વ્યાસ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે કેજી થી લઈને કોલેજ સુધીમાં પ્રથમ ત્રણ નંબર મેળવનારા તમામ વિદ્યાર્થીઓને શીલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને સંસ્થાના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, ઉપપ્રમુખ મનોજભાઇ ભટ્ટ અને મનીષભાઈ યાજ્ઞિક તેમજ મહામંત્રી નરેન્દ્રભાઈ મહેતા, મહેશભાઇ ભટ્ટ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.




Latest News