મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી-માહેશ્વરી પ્રગતિ મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું
મોરબીની ખોડીયાર ગરબી મંડળ બાળાઓને લ્હાણી વિતરણ કરાયું
SHARE
મોરબીની ખોડીયાર ગરબી મંડળ બાળાઓને લ્હાણી વિતરણ કરાયું
મોરબી સામેકાંઠે શોભેશ્વર રોડ પરશુરામ પોટરી તાલુકા શાળા પાસે છેલ્લા 65 વર્ષથી વાલ્મીકિ સમાજના પરીવાર દ્વારા ગરબીનું આયોજન કરવામાં આવે છે અને તેમાં બાળાઓ દ્વારા ગરબા રજૂ કરવામાં આવે છે આ ગરબી માટે કોઈ ફાળો ઉઘરાવવામા આવતો નથી અને ખોડીયાર ગરબી મંડળ વાલ્મીકિ સમાજના પરીવાર સાથે છેલ્લા ધણા વષૉથી સમરસતા વસુદેવ કૌટુંબિક સામાજિક ભાવના સાથે લાગણીઓથી નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા અને પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા જોડાયેલ છે અને નવરાત્રી દરમિયાન ગરબીના સંચાલકો ખોડાભાઇ વાધેલા, લાલજીભાઈ વાણીયા, ઝીણાભાઈ વાણીયા અને યુવાનો દ્વારા બાળાઓને લ્હાણી આપવામાં આવી હતી ત્યારે સુરેશભાઈ શિરોહીયા અને તેના પત્ની પણ ત્યાં હાજર રહ્યા હતા