Morbi Today
મોરબીમાં અવધ-4 તથા ભારત વિકાસ પરિષદ દ્વારા દુર્ગા શક્તિની પુસ્તિકાનું વિતરણ-શસ્ત્ર પૂજન કરાયું
SHARE
મોરબીમાં અવધ-4 તથા ભારત વિકાસ પરિષદ દ્વારા દુર્ગા શક્તિની પુસ્તિકાનું વિતરણ-શસ્ત્ર પૂજન કરાયું
મોરબીમાં આવેલ અવધ- 4 સોસાયટીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ભારત વિકાસ પરિષદના સચિવ હિંમતભાઈ મારવાણીયા તથા વિપુલભાઈ અમૃતિયા તેમજ અવધ -4 ના દાતા દિનેશભાઈ માકાસણા, રાજેશભાઈ ચારોલા, રાજેશભાઈ સદાતીયા વગેરે કાર્યકર્તાઓના સહયોગ અને સહકારથી દુર્ગા શક્તિની પુસ્તિકાઓનો સેટ અવધ-4 સોસાયટીના 245 ઘરોમાં આપવામાં આવેલ છે અને સોસાયટીમાં શસ્ત્રનું પૂજન કરાયું હતું જેમાં 900 જેટલા લોકો જોડાયા હતા.









