ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો મોરબી શહેર-તાલુકામાં જુગારની 3 રેડમાં 2 મહિલા સહિત કુલ 14 લોકો પકડાયા મોરબીમાં છતનું સેન્ટીંગ કામ કરતાં સમયે ઉપરથી નીચે પટકાતા વૃદ્ધનું મોત: આદર્શ સોસાયટીમાં ઘરે સુતેલા વૃદ્ધનું નિદ્રાધીન અવસ્થામાં મોત મોરબી જિલ્લામાં જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાયેલ લોકમેળામાં મંત્રી કાંતિભાઈ અમૃતિયા-જીતુભાઈ સોમાણીએ રાઇડ્સની મજા માણી વાંકાનેરના માટેલ રોડ ઉપર બાઈકમાંથી નીચે પટકાયેલ મહિલા ઉપર ટ્રક ફરી વળતા ઇજા પામેલ મહિલાનું સારવારમાં મોત: હળવદમાં અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના ઘુટું ગામેથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ, ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના સાહિલ માજોઠીની કેન્સર પીડિત માતા માટે માનવતાના ધોરણે દીકરાને મુક્ત કરી વતન વાપસી માટે વકીલ દીપા જોસેફે યુક્રેન સરકારને કરી રજૂઆત


SHARE





મોરબીના સાહિલ માજોઠીની કેન્સર પીડિત માતા માટે માનવતાના ધોરણે દીકરાને મુક્ત કરી વતન વાપસી માટે વકીલ દીપા જોસેફે યુક્રેન સરકારને કરી રજૂઆત

મોરબીનો સાહિલ માજોઠી રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે હાલ યુક્રેનની કેદી છાવણીમાં બંધ છે.આ બાબતે સુપ્રીમ કોર્ટના મહિલા વકીલ દીપા જોસેફે યુક્રેનની સંસદના માનવ અધિકાર કમિશનર ડીમીટ્રો વેલેરીયોવિચ લુબીનેટ્સને એક પત્ર લખીને રજૂઆત કરી છે.વકીલે આ પત્રમાં ભારતીય યુવાનને માનવતાના ધોરણે વહેલી તકે ભારત પરત મોકલવા માટે અપીલ કરી છે.વકીલ દીપા જોસેફે પત્રમાં જણાવ્યું છે કે સાહિલ માજોઠી ડિસેમ્બર 2023 માં માત્ર ઉચ્ચ અભ્યાસ અર્થે રશિયા ગયો હતો.પરંતુ ત્યાં આર્થિક તંગી અને પ્રતિકૂળ સંજોગોને કારણે તે ફસાઈ ગયો અને તેની મરજી વિરુદ્ધ તેને યુદ્ધના મેદાનમાં ધકેલી દેવામાં આવ્યો હતો.

યુક્રેનની સરહદમાં પ્રવેશતા જ સાહિલે સ્વેચ્છાએ આત્મસમર્પણ કર્યું હતું અને તે ક્યારેય કોઈ હિંસામાં સામેલ થવા નહોતો માંગતો.યુક્રેન સત્તાવાળાઓ દ્વારા અત્યાર સુધી તેની સાથે રખાયેલા માનવીય વ્યવહારની પણ વકીલ દીપા જોસેફે પત્રમાં પ્રશંસા કરી છે.આ પત્રમાં મુખ્યત્વે માનવતાવાદી અભિગમ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.સાહિલની માતા હસીનાબાનુ સિંગલ પેરેન્ટ છે. અને હાલ કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા છે.તેમજ તાજેતરમાં તેમને હૃદયની તકલીફ પણ થઈ છે.દીકરાના વિરહમાં તેમની તબિયત વધુ લથડી રહી છે.આ કેસ હાલ દિલ્હી હાઈકોર્ટમાં પણ ચાલી રહ્યો છે અને ભારત સરકાર રાજદ્વારી સ્તરે પ્રયત્નશીલ છે.વકીલે યુક્રેન સરકારને અપીલ કરી છે કે એક બીમાર માતા પોતાના એકમાત્ર દીકરાને મળી શકે તે માટે કાયદાકીય અને માનવતાના ધોરણે સાહિલને મુક્ત કરી વતન મોકલવાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે.




Latest News