માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

ટંકારાના ડેમી -૨ ડેમ પાસે કૂવામાં પડી જવાથી વૃધ્ધાનું મોત


SHARE

















ટંકારાના ડેમી -૨ ડેમ પાસે કૂવામાં પડી જવાથી વૃધ્ધાનું મોત

ટંકારા તાલુકામાં આવેલ ડેમી -૨ ડેમ પાસે આવેલ કુવામાં પડી જવાથી વૃદ્ધાનું મોત નિપજ્યું છે. જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે ટંકારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની ટંકારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના હરબટીયાળી ગામ પાસે આવેલ સ્લોગન કારખાનામાં રહેતા નરેશગીરી ચંદુગીરી ગોસ્વામી જાતે બાવાજી (ઉંમર ૩૧) એ ટંકારા તાલુકા પોલીસને જાણ કરી હતી કે, તેઓના માતા કંચનબેન ચંદુગીરી ગોસ્વામી (ઉંમર ૬૫) સ્લોગન કારખાનાની સામે આવેલ ડેમી-૨ ડેમ પાસે આવેલ કૂવામાં પડી જતાં તેઓનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે ટંકારા હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો અને આ બનાવની ટંકારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે મૃતક મહિલા માનસિક અસ્વસ્થ હોય કોઈ કારણોસર કૂવામાં પડી ગયા હોવાનું હાલમાં તેના પરિવારજનો પાસેથી જાણવા મળે છે




Latest News