ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં પત્નીએ કામ ધંધો કરવા માટે કહેતા પતિએ પકડી અનંતની વાટ


SHARE













મોરબીમાં પત્નીએ કામ ધંધો કરવા માટે કહેતા પતિએ પકડી અનંતની વાટ

મોરબીના સામાકાંઠે સોઓરડી રોડ ઉપર આવેલ ભુવનેશ્વરી પાર્ક સોસાયટી વિસ્તારમાં રહેતા યુવાને તેના ઘરે ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો.જેથી તેના ડેડબોડીને પીએમ માટે સિવિલે લાવવામાં આવતા બનાવની જાણ થવાથી હાલ પોલીસ દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.પત્ની દ્વારા કામ ધંધો કરવા માટે કહેવામાં આવતા તે વાતનું મનમાં લાગી આવવાથી યુવાને અંતિમ પગલું ભરી લીધુ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ સુરેન્દ્રનગરના જંકશન પ્લોટમાં આવેલ નૂરે મિલાદ રોડનો રહેવાસી અને છેલ્લા કેટલાક સમયથી મોરબીના સામાકાંઠે સોઓરડી રોડ ઉપર આવેલ ભુવનેશ્વરી પાર્ક ખાતે રહેતા ફિરોજભાઈ ઈસાભાઈ બાબરીયા નામના ૩૪ વર્ષના યુવાને તા.૨૧ ના રાત્રિના નવેક વાગ્યે તેના ઘરે ફાંસો ખાઈ લીધો હતો.જેથી તેનું મોત નિપજત્તા તેના ડેડબોડીને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈ જવામાં આવ્યું હતું અને આ બનાવ અંગે ત્યાં રહેતા અકબરભાઈ સાંગણભાઈ મોવર નામના વ્યક્તિએ પોલીસને જાણ કરી હતી.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના ધર્મેન્દ્રભાઈ રાંકજાએ તપાસ કરતા સામે આવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી મૃતક ફિરોજભાઈ બાબરીયા કોઈ કામકાજ કરતા ન હોય તેઓના પત્ની દ્વારા તેને કામકાજ કરવાનું કહેવામાં આવ્યું હતું જે બાબતનું તેને મનમાં લાગી આવતા તેણએ ગળેફાસો ખાઈ લેતા તેનું મોત થયુ હતું.

સગીર સારવારમાં

મોરબીના કૃષ્ણનગર (ગાળા) ગામે રહેતા વિશાલભાઈ રમેશભાઈ મુછડીયા નામનો ૧૫ વર્ષનો સગીર બાઈકના પાછળના ભાગેથી નિચે પડી જતા ઈજા પામતા સારવાર માટે મોરબી સિવિલ લાવવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના આંદરણા ગામે ઘરના આંગણા પાસે બેઠેલા સેજલબેન છગનભાઈ બાંભવા નામની ૧૬ વર્ષની યુવતીને ઘર નજીક સાપ કરડી જતા તેને ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.બનાવ અંગે તાલુકા પોલીસ મથકના જનકસિંહ પરમાર દ્વારા નોંધ કરીને તપાસ ચલાવવામાં આવી રહી છે.

કેરોસીન પી જતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામે રહેતા પરિવારનો અંશ રાજકુમાર જાટવ નામનો દોઢ વર્ષનો બાળક ઘરે રમતા રમતા બપોરના ચારેક વાગ્યાના અરસામાં કેરોસીન પી ગયો હતો જેથી તેને ત્યાં આવેલી ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના બી.જી.દેત્રોજા દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી રહી છે.






Latest News