વાંકાનેરના ઢૂંવા પાસે કારખાનામાં રિવર્સ આવતી કાર હેઠળ કચડાઈ જવાથી  ઇજા પામેલ દોઢ વર્ષની બાળકીનું સારવારમાં મોત મોરબીમાં ગ્રાહકોને હોમ લોન તથા વાહન લોન બાબતે બેન્ક તથા ફાયનાન્સ તરફથી થતી બીન અધિકૃત કનડગત દુર કરો-ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીમાં નાના બાળકોને શૈક્ષિણક કીટ આપીને આઈ શ્રી સોનલમાં નો જન્મોત્સવ ઉજવાયો મોરબી વિહિપ-બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની હત્યાના વિરોધમાં કરાયું પૂતળા દહન મોરબી સિરામિક ઉદ્યોગના વિવિધ પ્રશ્નોને લગતી મુખ્યમંત્રી અને મંત્રીઓને સિરામિક એસો. દ્વારા કરાઇ રજૂઆત હળવદ પીજીવીસીએલ દ્વારા સુરક્ષા જ જિંદગી ના મંત્ર સાથે સેમિનાર યોજાયો શ્રી મનુભાઈ પંચોળી-સોક્રેટીસ સન્માન મેળવતા મોરબીની શ્રી બિલિયા પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષક ગૌતમભાઈ ગોધવિયા મોરબીના ચકમપર ગામનો બનાવ : રીસામણે ગયેલ પત્ની પરત ન આવતી હોય લાગી આવતા યુવાને અનંતની વાટ પકડી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટાભેલા ગામે તરૂણ-મોટીબરાર ગામે યુવાનનું તળાવમાં ડૂબી જવાથી મોત


SHARE











માળીયા (મી)ના મોટાભેલા ગામે તરૂણ-મોટીબરાર ગામે યુવાનનું તળાવમાં ડૂબી જવાથી મોત

માળિયા તાલુકાના મોટાભેલા ગામે આવેલ તળાવમાં ન્હાવા માટે થઈને ગયેલ તરુણ પાણીમાં ડૂબી ગયો હતો આવી જ રીતે મોટી બરાર-જસાપર ગામ ના તળાવમાં યુવાન ન્હાવા માટે ગયો હતો તે બંને પાણીમાં ડૂબી ગયા હતા જેથી કરીને તેના બોડીને માળીયા (મી)ની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બંને બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્મૃત મૃત્યુના બંને બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજુબ માળીયા (મી)ના મોટાભેલા ગામે રહેતા નાથાભાઈ ખાંભલીયાનો 17 વર્ષનો દીકરો પિયુષ ખાંભલીયા મોટાભેલા ગામે આવેલા તળાવમાં ન્હાવા માટે થઈને ગયો હતો અને ત્યારે ત્યાં કોઈપણ કારણોસર તે તળાવમાં ડૂબી ગયો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને માળીયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. આવી જ રીતે માળિયા તાલુકાના મોટી બરાર-જસાપર ગામના તળાવમાં ન્હાવા માટે મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી અને હાલ જસાપર ગામે રહેતો વિષ્ણુભાઈ રવિન્દ્રભાઈ ભીલ (18) નામનો યુવાન ગયો હતો ત્યારે કોઈ કારણોસર તે તળાવના પાણીમાં ડૂબી ગયો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને માળીયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News