ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટાભેલા ગામે તરૂણ-મોટીબરાર ગામે યુવાનનું તળાવમાં ડૂબી જવાથી મોત


SHARE













માળીયા (મી)ના મોટાભેલા ગામે તરૂણ-મોટીબરાર ગામે યુવાનનું તળાવમાં ડૂબી જવાથી મોત

માળિયા તાલુકાના મોટાભેલા ગામે આવેલ તળાવમાં ન્હાવા માટે થઈને ગયેલ તરુણ પાણીમાં ડૂબી ગયો હતો આવી જ રીતે મોટી બરાર-જસાપર ગામ ના તળાવમાં યુવાન ન્હાવા માટે ગયો હતો તે બંને પાણીમાં ડૂબી ગયા હતા જેથી કરીને તેના બોડીને માળીયા (મી)ની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બંને બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્મૃત મૃત્યુના બંને બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજુબ માળીયા (મી)ના મોટાભેલા ગામે રહેતા નાથાભાઈ ખાંભલીયાનો 17 વર્ષનો દીકરો પિયુષ ખાંભલીયા મોટાભેલા ગામે આવેલા તળાવમાં ન્હાવા માટે થઈને ગયો હતો અને ત્યારે ત્યાં કોઈપણ કારણોસર તે તળાવમાં ડૂબી ગયો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને માળીયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. આવી જ રીતે માળિયા તાલુકાના મોટી બરાર-જસાપર ગામના તળાવમાં ન્હાવા માટે મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી અને હાલ જસાપર ગામે રહેતો વિષ્ણુભાઈ રવિન્દ્રભાઈ ભીલ (18) નામનો યુવાન ગયો હતો ત્યારે કોઈ કારણોસર તે તળાવના પાણીમાં ડૂબી ગયો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને માળીયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News