ભુજના માધાપર ગામે રહેતા ટ્રાન્સપોર્ટર સાથે 46.90 લાખની ઠગાઈના ગુનામાં મોરબીની આંગડિયા પેઢીનો માલિક પકડાયો મોરબીમાં જૈન પ્લોટ પૌષધ શાળા ખાતે શ્રી મુનિસુવ્રત સ્વામીના જાપ-આરાધનાનો કાર્યક્રમ યોજાયો લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ડાયાબિટીસ-બીપી ચેક અપ કેન્દ્ર ખુલ્લુ મુકાયું મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસેનો બનાવ: પરિણીતાને ફોનમાં મેસેજ કરનાર યુવાનને સમાધાન માટે બોલાવી કરી નાંખી હત્યા, આરોપી સહિત 4 ને ઇજા મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર આયોજિત કેન્સર સ્ક્રીનીગ કેમ્પમાં ૧૦૦ લોકોએ લાભ લીધો મોરબીના ગાળા ગામ પાસે આગ લાગતા કારખાનામાં પડેલો માલ સામાન બળીને ખાખ મોરબી નજીકના ઘુનડા પાસે બાઇક સ્લીપ થતા સગીરનુંં મોત ફિલ્મી સ્ટંટની જેમ ધડાધડ ફાયરિંગ: મોરબીમાં જૂની માથાકૂટનો ખાર રાખીને સ્કોર્પિયો સહિત 3 કારમાં આવેલા 5 શખ્સોએ કર્યા ત્રણ રાઉન્ડ ફાયરિંગ, 3 ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટાભેલા ગામે તરૂણ-મોટીબરાર ગામે યુવાનનું તળાવમાં ડૂબી જવાથી મોત


SHARE













માળીયા (મી)ના મોટાભેલા ગામે તરૂણ-મોટીબરાર ગામે યુવાનનું તળાવમાં ડૂબી જવાથી મોત

માળિયા તાલુકાના મોટાભેલા ગામે આવેલ તળાવમાં ન્હાવા માટે થઈને ગયેલ તરુણ પાણીમાં ડૂબી ગયો હતો આવી જ રીતે મોટી બરાર-જસાપર ગામ ના તળાવમાં યુવાન ન્હાવા માટે ગયો હતો તે બંને પાણીમાં ડૂબી ગયા હતા જેથી કરીને તેના બોડીને માળીયા (મી)ની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બંને બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્મૃત મૃત્યુના બંને બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજુબ માળીયા (મી)ના મોટાભેલા ગામે રહેતા નાથાભાઈ ખાંભલીયાનો 17 વર્ષનો દીકરો પિયુષ ખાંભલીયા મોટાભેલા ગામે આવેલા તળાવમાં ન્હાવા માટે થઈને ગયો હતો અને ત્યારે ત્યાં કોઈપણ કારણોસર તે તળાવમાં ડૂબી ગયો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને માળીયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. આવી જ રીતે માળિયા તાલુકાના મોટી બરાર-જસાપર ગામના તળાવમાં ન્હાવા માટે મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી અને હાલ જસાપર ગામે રહેતો વિષ્ણુભાઈ રવિન્દ્રભાઈ ભીલ (18) નામનો યુવાન ગયો હતો ત્યારે કોઈ કારણોસર તે તળાવના પાણીમાં ડૂબી ગયો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને માળીયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News