મોરબીના શંકર આશ્રમના જીર્ણોધ્ધાર અર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન મોરબી : આયુષ હોસ્પિટલના ન્યુરો સર્જન દ્વારા જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી  સૌરાષ્ટ્રની નં ૦૧ રીયલ ક્રિકેટ એકેડમીમાં દિવાળી નિમિતે બાળકો માટે સ્પેશ્યલ ઓફર મોરબીના જુના ખારચીયાથી રાજપર (કું.) જવાના બિસ્માર રસ્તો ડામરથી ક્યારે મઢાશે ? ટંકારાના લજાઈ પાસે ઓઇલના ગોડાઉનમાં એસએમસીની રેડ: બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ પેકિંગ ભરતાઓની ચર્ચા મોરબી : ટંકારાના ગજડી ગામના રમેશભાઈ જારીયાની રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળમાં ઉપપ્રમુખ તરીકે વરણી મોરબીની નવયુગ સાયન્સ કોલેજ દ્વારા ફૂડ સ્પેશિયાલિટી  ઓફ ગુજરાતનું આયોજન  કરવામાં આવ્યું મોરબી જિલ્લામાં ખેડૂતને થયેલ નુકશાન સામે સરકારે હજુ રાતીપાઈ આપી નથી, વહેલી તકે વળતર આપવા કોંગ્રેસની માંગ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટાભેલા ગામે તરૂણ-મોટીબરાર ગામે યુવાનનું તળાવમાં ડૂબી જવાથી મોત


SHARE











માળીયા (મી)ના મોટાભેલા ગામે તરૂણ-મોટીબરાર ગામે યુવાનનું તળાવમાં ડૂબી જવાથી મોત

માળિયા તાલુકાના મોટાભેલા ગામે આવેલ તળાવમાં ન્હાવા માટે થઈને ગયેલ તરુણ પાણીમાં ડૂબી ગયો હતો આવી જ રીતે મોટી બરાર-જસાપર ગામ ના તળાવમાં યુવાન ન્હાવા માટે ગયો હતો તે બંને પાણીમાં ડૂબી ગયા હતા જેથી કરીને તેના બોડીને માળીયા (મી)ની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બંને બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્મૃત મૃત્યુના બંને બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજુબ માળીયા (મી)ના મોટાભેલા ગામે રહેતા નાથાભાઈ ખાંભલીયાનો 17 વર્ષનો દીકરો પિયુષ ખાંભલીયા મોટાભેલા ગામે આવેલા તળાવમાં ન્હાવા માટે થઈને ગયો હતો અને ત્યારે ત્યાં કોઈપણ કારણોસર તે તળાવમાં ડૂબી ગયો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને માળીયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. આવી જ રીતે માળિયા તાલુકાના મોટી બરાર-જસાપર ગામના તળાવમાં ન્હાવા માટે મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી અને હાલ જસાપર ગામે રહેતો વિષ્ણુભાઈ રવિન્દ્રભાઈ ભીલ (18) નામનો યુવાન ગયો હતો ત્યારે કોઈ કારણોસર તે તળાવના પાણીમાં ડૂબી ગયો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને માળીયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News