મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરની બજારોમાં જનમેદની ઉમટી - મોંઘવારી વચ્ચે પણ ખરીદી કરી


SHARE













વાંકાનેરની બજારોમાં જનમેદની ઉમટી - મોંઘવારી વચ્ચે પણ ખરીદી કરી 

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરમાં નૂતન વર્ષની પૂર્વ સંધ્યાએ મુખ્ય બજારોમાં જનમેદની ઉમટી પડી હતી, અને દિપાવલી તથા નૂતન વર્ષ નિમિતે ખરીદી કરી હતી.
આજરોજ પ્રકાશપર્વ દિપાવલીની દેશ ભરમાં ઉજવણી કરવામાં આવશે ત્યારે મોરબી જીલ્લા નાં સૌથી મોટા વાંકાનેર તાલુકામાં જનમેદની ઉમટી પડી હતી, ખાસ કરીને સવારે ગ્રામીણ અને સાંજે શહેરીજનોથી મુખ્ય બજાર ઉભરાઈ હતી, કોરોના કાળમાં લાંબો સમય પસાર કર્યા બાદ હવે મહદઅંશે કોરોનામાંથી મુક્તિ મળી હોય તેવો અહેસાસ લોકોને થયો હતો, અનેક ચીજ વસ્તુઓ માં મોંઘવારી છતાં પોતાના બજેટ મુજબ સૌ કોઈ એ ખરીદી કરી હતી, જોકે આ સાલ ફટાકડાનાં અમુક મોટા ધંધાર્થીઓએ વ્યાજબી ભાવે ફટાકડા નું વેચાણ કરતા ગરીબ પરિવારો પણ પોતાના બાળકો માટે હોશ પૂર્વક ફટાકડાની ખરીદી કરી શક્યા હતાં, શહેરીજનોએ મોડી રાત સુધી ખરીદી કરી હતી, નૂતનવર્ષની પૂર્વ સંધ્યાએ મહિલાઓએ દીવડાં, તોરણ, રંગોળીથી ગૃહ સજાવટ કરી હતી, બાળકો પરિવારજનોએ ફટાકડા ફોડી લાંબા સમય બાદ કોરોના કાળનાં અંધકારમાંથી બહાર લઈ આવતાં એવા પ્રકાશ પર્વ દિપાવલીની ઉજવણી કરી હતી.








Latest News