આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત મોરબીના નવા સાદુળકા ગામેથી ગુમ થયેલ યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ હળવદના માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કાર્યપાલક ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી ! વ્યાજંકવાદ : મોરબીના યુવાનને 60 ટકાના વ્યાજે લીધેલ 9 લાખ સામે 7.02 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી યથાવત !
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામે ગાડી સાઈડમાં લેવા બાબતે ઝઘડો થતાં યુવાનને ધાતુની મૂઠ કપાળમાં મારી: સામસામે ફરિયાદ


SHARE













મોરબીના ખાનપર ગામે ગાડી સાઈડમાં લેવા બાબતે ઝઘડો થતાં યુવાનને ધાતુની મૂઠ કપાળમાં મારી: સામસામે ફરિયાદ

મોરબી તાલુકાના ખાનપર ગામના બસ સ્ટેશન પાસે ગાડી સાઈડમાં લેવા બાબતે બોલાચાલી, ઝઘડો અને મારામારી થઈ હતી ત્યારે બંને પક્ષેથી માથાના ભાગે માર મારવામાં આવ્યો હોવાથી ઇજાગ્રસ્ત પામેલા લોકોને સારવારમાં લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી સામસામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં સનાળા રોડ ઉપર આવેલી યદુનંદન પાર્ક શેરી નં-2 માં મોમાઈ કૃપા ખાતે રહેતા ઇન્દ્રજીતસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા (34)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દેવેન્દ્રસિંહ ઉર્ફે અશોકભાઈ સજુભા જાડેજા રહે. સનાળા બાયપાસ ન્યારા પેટ્રોલ પંપની બાજુમાં વૃંદાવન સોસાયટી મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ખાનપર ગામે બસ સ્ટેશન પાસે ફરિયાદીએ આરોપીને તેની ગાડી સાઈડમાં લેવા માટે તેને કહ્યું હતું ત્યારબાદ બોલાચાલી અને ઝઘડો થયો હતો અને ફરિયાદી યુવાનને ધાતુની મુઠ વડે માથાના કપાળના ભાગે માર્યો હતો અને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ઇજા પામેલા ઇન્દ્રજીતસિંહ જાડેજાને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને કપાળના ભાગે ટાંકા આવ્યા હતા. અને હાલમાં યુવાને દેવેન્દ્રસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જ્યારે સામાપક્ષેથી આ બનાવમાં સનાળા બાયપાસ રોડે આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતા દેવેન્દ્રસિંહ ઉર્ફે અશોકભાઈ સજુભા જાડેજા (61) એ ઇન્દ્રજીતસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા અને ગજેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા રહે. બને યદુનંદન પાર્ક નં-2 મોરબી સનાળા રોડ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેને સાથે ગાડી સાઈડમાં લેવા બાબતે ખાનપર ગામના બસ સ્ટેશન પાસે ઇન્દ્રજીતસિંહ જાડેજાએ બોલાચાલીને ઝઘડો કર્યો હતો અને ત્યારે ગજેન્દ્રસિંહ જાડેજાએ તેને પકડી રાખ્યા હતા અને ઇન્દ્રજીતસિંહ જાડેજાએ લાકડાના ઘોકા વડે માથામાં તથા શરીરે માર માર્યો હતો અને ગાળો આપી હતી અને માથામાં માર માર્યો હોવાથી માથામાં ઇજા થતાં તેને માથામાં ટાંકા આવ્યા હતા હાલમાં સારવાર લીધા બાદ દેવેન્દ્રસિંહ જાડેજાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News