મોરબીના ઊંચી માંડલ નજીક કારખાના બહારના વોકળામાંથી યુવાનની લાશ મળી: મૃતકની ઓળખ મેળવવા તજવીજ નરેન્દ્ર મોદી @75: મોરબીમાં મેદસ્વિતામાંથી મુક્તિ મેળવવા રીઝલ્ટ ઓરીએન્ટેડ ખાસ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં શિક્ષણના લાભાર્થે દ્વિતીય સમુહ લગ્નોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં રેવન્યુ તલાટીની પરીક્ષામાં 51.41 ટકા પરીક્ષાર્થીઓ હાજર રહ્યા મોરબી નવયુગ વિદ્યાલયનો દેવાંગ ડાભીએ જિલ્લા લેવલે ખેલ મહાકુંભની ૨૦૦ મીટર દોડમાં પ્રથમ ક્રમે વિજેતા મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન પ્રદર્શન-આનંદ મેળો યોજાયો મોરબીનો ઉબડ ખાબડ નવલખી રોડ જીવલેણ સાબિત થાય તે પહેલા ખાડા બૂરો, સરપંચોની આગેવાનીમાં કર્યો ચક્કાજામ, 48 કલાકનું આપ્યું અલ્ટિમેટમ મોરબીના નવા નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી: પોલીસ દોડતી
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામે ગાડી સાઈડમાં લેવા બાબતે ઝઘડો થતાં યુવાનને ધાતુની મૂઠ કપાળમાં મારી: સામસામે ફરિયાદ


SHARE













મોરબીના ખાનપર ગામે ગાડી સાઈડમાં લેવા બાબતે ઝઘડો થતાં યુવાનને ધાતુની મૂઠ કપાળમાં મારી: સામસામે ફરિયાદ

મોરબી તાલુકાના ખાનપર ગામના બસ સ્ટેશન પાસે ગાડી સાઈડમાં લેવા બાબતે બોલાચાલી, ઝઘડો અને મારામારી થઈ હતી ત્યારે બંને પક્ષેથી માથાના ભાગે માર મારવામાં આવ્યો હોવાથી ઇજાગ્રસ્ત પામેલા લોકોને સારવારમાં લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી સામસામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં સનાળા રોડ ઉપર આવેલી યદુનંદન પાર્ક શેરી નં-2 માં મોમાઈ કૃપા ખાતે રહેતા ઇન્દ્રજીતસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા (34)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દેવેન્દ્રસિંહ ઉર્ફે અશોકભાઈ સજુભા જાડેજા રહે. સનાળા બાયપાસ ન્યારા પેટ્રોલ પંપની બાજુમાં વૃંદાવન સોસાયટી મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ખાનપર ગામે બસ સ્ટેશન પાસે ફરિયાદીએ આરોપીને તેની ગાડી સાઈડમાં લેવા માટે તેને કહ્યું હતું ત્યારબાદ બોલાચાલી અને ઝઘડો થયો હતો અને ફરિયાદી યુવાનને ધાતુની મુઠ વડે માથાના કપાળના ભાગે માર્યો હતો અને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ઇજા પામેલા ઇન્દ્રજીતસિંહ જાડેજાને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને કપાળના ભાગે ટાંકા આવ્યા હતા. અને હાલમાં યુવાને દેવેન્દ્રસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જ્યારે સામાપક્ષેથી આ બનાવમાં સનાળા બાયપાસ રોડે આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતા દેવેન્દ્રસિંહ ઉર્ફે અશોકભાઈ સજુભા જાડેજા (61) એ ઇન્દ્રજીતસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા અને ગજેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા રહે. બને યદુનંદન પાર્ક નં-2 મોરબી સનાળા રોડ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેને સાથે ગાડી સાઈડમાં લેવા બાબતે ખાનપર ગામના બસ સ્ટેશન પાસે ઇન્દ્રજીતસિંહ જાડેજાએ બોલાચાલીને ઝઘડો કર્યો હતો અને ત્યારે ગજેન્દ્રસિંહ જાડેજાએ તેને પકડી રાખ્યા હતા અને ઇન્દ્રજીતસિંહ જાડેજાએ લાકડાના ઘોકા વડે માથામાં તથા શરીરે માર માર્યો હતો અને ગાળો આપી હતી અને માથામાં માર માર્યો હોવાથી માથામાં ઇજા થતાં તેને માથામાં ટાંકા આવ્યા હતા હાલમાં સારવાર લીધા બાદ દેવેન્દ્રસિંહ જાડેજાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News