મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં પોતાના ઘરની દીવાલમાં લોખંડી એંગલ-છાપરું લગાવતા વૃદ્ધને પાડોશમાં રહેતા પિતા-પુત્રએ ઢીકાપાટુનો માર માર્યો


SHARE













મોરબીમાં પોતાના ઘરની દીવાલમાં લોખંડી એંગલ-છાપરું લગાવતા વૃદ્ધને પાડોશમાં રહેતા પિતા-પુત્રએ ઢીકાપાટુનો માર માર્યો

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ગાયત્રી ચોકની પાછળના ભાગમાં આવેલ વિજયનગર-1 માં રહેતા વૃદ્ધ પોતાના ઘરની દીવાલમાં લોખંડી એંગલ તથા છાપરું કરાવતા હતા જે પાડોશમાં રહેતા પિતા-પુત્રને સારું ન લાગતા તે બંનેએ વૃદ્ધને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ભોગ બનેલા વૃદ્ધે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ગાયત્રી ચોકમાં વિજયનગર-1 ખાતે રહેતા રણછોડભાઈ વનજીભાઈ કાચરોલા (64)એ હંસરાજ કાવર અને તેના દીકરા જીગ્નેશ હંસરાજભાઈ કાવર સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓના ઘરની ગેલેરીમાં સામેવાળાના ઘરની દિવાલમાં આવેલ બારીમાંથી કોઈ પણ આવી જઈ શકે તેમ હોવાથી તે બંધ કરવા માટે થઈને તેઓ પોતાની દીવાલમાં લોખંડની એંગલ અને છાપરુ લગાવતા હતા જે સામેવાળાને સારું ન લાગતા તેણે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ ગાળો આપીને વૃદ્ધને ઢીકાપાટુનો માર માર્યો હતો. જેથી ઈજા પામેલ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર લીધા બાદ આ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

કાર સાથે કાર અથડાવતા અકસ્માત

રાજકોટના રૈયાધાર વિસ્તારમાં સિલ્વર સીટી એપાર્ટમેન્ટ ખાતે રહેતા ધર્મેશભાઈ હર્ષદભાઈ ગોરસીયા (34)એ હાલમાં એક્સયુવી કાર નંબર જીજે 1 ડબલ્યુએસ 3528 ના ચાલક નિર્ભય બાલમુકુંદભાઈ ઠક્કર રહે. અમદાવાદ વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, કચ્છ મોરબી હાઇવે રોડ ઉપર માળિયા તાલુકાના હરીપર ગામના પાટીયા પાસેથી ફરિયાદી પોતાના હવાલા વાળી કાર નંબર જીજે 3 એચકે 2512 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે આરોપીએ તેના હવાલા વાળી કાર તેઓની ગાડીમાં પાછળના ભાગે અથડાવી હતી જેથી કરીને ફરિયાદીની કારમાં નુકસાની થયેલ છે અને તેની કારમાં બેઠેલા જયશ્રીબેનને કમરના ભાગે મણકામાં ફ્રેક્ચર જેવી ઇજા કરતાં ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ ધર્મેશભાઈ ગોરસિયાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે નિર્ભય ઠક્કર સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News