મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીમાં પોતાના ઘરની દીવાલમાં લોખંડી એંગલ-છાપરું લગાવતા વૃદ્ધને પાડોશમાં રહેતા પિતા-પુત્રએ ઢીકાપાટુનો માર માર્યો


SHARE











મોરબીમાં પોતાના ઘરની દીવાલમાં લોખંડી એંગલ-છાપરું લગાવતા વૃદ્ધને પાડોશમાં રહેતા પિતા-પુત્રએ ઢીકાપાટુનો માર માર્યો

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ગાયત્રી ચોકની પાછળના ભાગમાં આવેલ વિજયનગર-1 માં રહેતા વૃદ્ધ પોતાના ઘરની દીવાલમાં લોખંડી એંગલ તથા છાપરું કરાવતા હતા જે પાડોશમાં રહેતા પિતા-પુત્રને સારું ન લાગતા તે બંનેએ વૃદ્ધને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ભોગ બનેલા વૃદ્ધે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ગાયત્રી ચોકમાં વિજયનગર-1 ખાતે રહેતા રણછોડભાઈ વનજીભાઈ કાચરોલા (64)એ હંસરાજ કાવર અને તેના દીકરા જીગ્નેશ હંસરાજભાઈ કાવર સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓના ઘરની ગેલેરીમાં સામેવાળાના ઘરની દિવાલમાં આવેલ બારીમાંથી કોઈ પણ આવી જઈ શકે તેમ હોવાથી તે બંધ કરવા માટે થઈને તેઓ પોતાની દીવાલમાં લોખંડની એંગલ અને છાપરુ લગાવતા હતા જે સામેવાળાને સારું ન લાગતા તેણે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ ગાળો આપીને વૃદ્ધને ઢીકાપાટુનો માર માર્યો હતો. જેથી ઈજા પામેલ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર લીધા બાદ આ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

કાર સાથે કાર અથડાવતા અકસ્માત

રાજકોટના રૈયાધાર વિસ્તારમાં સિલ્વર સીટી એપાર્ટમેન્ટ ખાતે રહેતા ધર્મેશભાઈ હર્ષદભાઈ ગોરસીયા (34)એ હાલમાં એક્સયુવી કાર નંબર જીજે 1 ડબલ્યુએસ 3528 ના ચાલક નિર્ભય બાલમુકુંદભાઈ ઠક્કર રહે. અમદાવાદ વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, કચ્છ મોરબી હાઇવે રોડ ઉપર માળિયા તાલુકાના હરીપર ગામના પાટીયા પાસેથી ફરિયાદી પોતાના હવાલા વાળી કાર નંબર જીજે 3 એચકે 2512 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે આરોપીએ તેના હવાલા વાળી કાર તેઓની ગાડીમાં પાછળના ભાગે અથડાવી હતી જેથી કરીને ફરિયાદીની કારમાં નુકસાની થયેલ છે અને તેની કારમાં બેઠેલા જયશ્રીબેનને કમરના ભાગે મણકામાં ફ્રેક્ચર જેવી ઇજા કરતાં ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ ધર્મેશભાઈ ગોરસિયાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે નિર્ભય ઠક્કર સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News