મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ


SHARE













મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના નિયામક સમાજ સુરક્ષા પ્રભાગ દ્વારા દિવ્યાંગોના સશક્તિકરણ અને સ્વાવલંબન માટે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ની નવી શરૂ કરાયેલ યોજના અંતર્ગત, મોરબી જિલ્લામાં ‘ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ’ વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગ લાભાર્થીઓને આધુનિક મોટરાઈઝડ ટ્રાઈસિકલ અને જોયસ્ટીક વ્હીલચેર અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

નોંધનીય છે કે, માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા તાજેતરમાં જ ગાંધીનગર ખાતેથી સમગ્ર રાજ્યમાં આ કલ્યાણકારી યોજનાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. જેના અનુસંધાને મોરબી જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં કુલ ૩૦ દિવ્યાંગ લાભાર્થીઓને મોટરાઈઝડ ટ્રાઈસિકલ અને ૬ લાભાર્થીઓને જોયસ્ટીક વ્હીલચેર એનાયત કરવામાં આવી હતી. આ આધુનિક સાધનો મળવાથી દિવ્યાંગોની જીવનશૈલીમાં સુધારો થશે અને તેઓ અન્ય પર નિર્ભર રહેવાને બદલે સ્વતંત્ર રીતે હરી-ફરી શકશે. સમાજ સુરક્ષા પ્રભાગના આ નિર્ણયથી દિવ્યાંગોના રોજિંદા જીવનમાં પડતી શારીરિક મુશ્કેલીઓ હળવી થશે અને તેઓ સમાજમાં ગૌરવભેર પુનઃસ્થાપિત થઈ શકશે. આ સાધન સહાય વિતરણ કાર્યક્રમમાં સ્થાનિક વહીવટી અધિકારીઓ અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News