મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને રૂપિયા પાંચ લાખથી વધુની રકમ વ્યાજ સહિત મળી હળવદના ચરાડવા ગામે ગટરનો પ્રશ્ન ઉકેલવા આપના તાલુકા પ્રમુખે સાંસદને કરી રજૂઆત મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નં.૨ માં પ્રવેશોત્સવ યોજાયો મોરબીની ઓસેમ સ્કુલ ખાતે ડ્રગ વિરોધી જાગૃતિ દિવસ ઉજવાયો મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ ઉજવાઇ મોરબી સહિત રાજ્યના જિલ્લાઓમાં ડીઝલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઇ મોરબીના રંગપર અને માણેકવાડા ગામે સરકારી શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી એલસીબી દ્વારા દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

મોરબીમાં બે ઘરફોડ ચોરીના ગુનામાં ચિખલીગર ગેંગનો સાગરીત પકડાયો: 200 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરીને આરોપીને દબોચ્યો


SHARE















મોરબીમાં બે ઘરફોડ ચોરીના ગુનામાં ચિખલીગર ગેંગનો સાગરીત પકડાયો: 200 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરીને આરોપીને દબોચ્યો

મોરબીની ખોડિયાર સોસાયટીમાં અને વિજયનગરના નાકા પાસે જુદાજુદા બે મકાનોને નિશાન બનાવીને ત્રણેક મહિના પહેલા નિશાન બનાવેલ હતા જેની ફરિયાદ બી ડિવિઝનમાં નોંધાયેલ હતી જેથી કરીને આરોપીને પકડવા માટે પોલીસ તપાસ કરી રહી હતી અને એક કે બે નહીં પરંતુ 200 જેટલા સીસીટીવી કેમેરાને ચેક કરવામાં આવ્યા હતા ત્યારે બાઇક ઉપર જામનગરથી મોરબી ચોરી કરવા માટે આવતા એક શખ્સને હાલમાં પકડવામાં આવેલ છે અને તેની પાસેથી ચોરીમાં ગયેલ મુદામાલ રિકવર કરવામાં આવેલ છે અને તેની સાથે આ ચોરીના ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.

મોરબીના ઇન્દિરાનગર નજીક આવેલ ખોડિયાર સોસાયટીમાં રહેતા સુખદેવભાઈ કરસનભાઈ સુરેલાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું હતું કે, ગત તા. 28/5/24 ના સવારના આઠ વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના 7:00 વાગ્યા દરમિયાન તેઓના ઘરમાં કોઈપણ સમયે અજાણ્યા શખ્સ દ્વારા ઘરના દરવાજાના નકુચા તોડીને પ્રવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તસ્કરે કબાટમાં રાખવામાં આવેલ માલ સમાનને વેરવિખેર કરી નાખીને તેમાં રાખવામા આવેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરેલ છે અને તસ્કર 1.21 લાખનો મુદામાલ ચોરી કરી ગયા હતા. 

આવી જ રીતે મોરબીમાં વિજયનગર નાકા પાસે રહેતા જયંતીલાલ ગાંડુભાઈ સોલંકીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી કે, ગત તા. 22/6 ના રોજ રાત્રીના 12:00 થી સવારના 6:00 વાગ્યા દરમિયાન તેઓ પોતાના ઘરે નીચે રૂમમાં તાળું મારીને તેમના પત્ની અને સંતાનો સાથે ઘરમાં ઉપરના માળે અગાશી ઉપર સૂતા હતા ત્યારે અજાણ્યા શખ્સે તેના ઘરને નિશાન બનાવીને ઘરમાં પ્રવેશની ચોરી કરી હતી અને ત્યારે તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળીને 1,64,500 નો મુદામાલ લઈ ગયા હતા આ બંને ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસે તપાસ શરૂ કરી હતી અને આ ગુનામાં બી ડિવિઝનના પીઆઇ એન.એ. વસાવા અને તેની ટીમે આરોપી સોનુસિંઘ શેરસિંઘ ખીચી જાતે ચિખલીગર શીખ (19) રહે. હાલ ખોડિયાર કોલોની યોગેશ્વરધામ ઢીચડા રોડ જામનગર વાળાની ધરપકડ કરેલ હતી અને તેના રિમાન્ડ પૂરા થતાં આરોપીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં  જેલ હવાલે કરવામાં આવેલ છે.

આ બાબતે ડીવાયએસપી પી.એ.ઝાલાની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેમણે જણાવ્યુ હતું કે આ આરોપી રાત્રિ દરમ્યાન બાઈલઈને અન્ય આરોપીઓની સાથે મોરબી આવતો હતો અને રાતે બંધ પડેલા મકાન કે પછી લોકો અગાશી ઉપર સૂતા હોય અને નીચેના ભાગે તાળા મરેલ હોય તેવા મકાનને તે નિશાન બનાવતા હતા વધુમાં માહિતી આપતા અધિકારીએ જણાવ્યુ હતું કે, આ આરોપીને પકડવા માટે 200 જેટલા સીસીટીવી કેમેરાને ચેક કરવામાં આવ્યા હતા અને આ આરોપીની પૂછપરછમાં તેને બંને ચોરીની કબૂલાત આપેલ છે. અને આ આરોપી ચોરીના ગુનામાં પહેલી વખત પકડાયેલ છે જો કે, તેની સાથે બીજા જે શખ્સો સંડોવાયેલ હતા તેના નામ પોલીસને મળે છે અને તેનો ગુનાહિત ઇતિહાસ હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે જેથી કરીને તે આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.






Latest News