હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકા વિસ્તારમાં જુદીજુદી બે જગ્યાએ બે યુવાનોએ અંતિમ પગલાં ભર્યા


SHARE











મોરબી શહેર-તાલુકા વિસ્તારમાં જુદીજુદી બે જગ્યાએ બે યુવાનોએ અંતિમ પગલાં ભર્યા

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ કારખાનાની સામેના ભાગમાં ઝાડ સાથે ગળાફાંસો ખાઈને યુવાને આપઘાત કર્યો હતો તેવી જ રીતે મોરબી તાલુકાના નીચી માંડલ ગામ પાસે આવેલ કારખાનામાં રૂમની અંદર મજૂર યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જેથી આપઘાતના આ બંને બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધ કરીને પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ સીરામીક ખાતે રહેતા અને કામ કરતા ગોપાલભાઈ સોહનભાઈ ધાસી (42) નામના યુવાને શોભેશ્વર રોડ ઉપર આવેલ લેન્ડવુડ સીરામીક સામેના ભાગમાં લીમડાના ઝાડ સાથે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં આગળની તપાસ તજવીજ ડી.એમ.રાંકજા ચલાવી રહ્યા છે

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસે નોકેન વિટ્રીફાઈડ નામના કારખાનામાં મજૂરના રૂમની અંદર રહેતા અને મજૂરી કામ કરતા વિરેન્દ્ર અત્તરસિંગ ચૌધરી (26) નામના યુવાને રૂમની અંદર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં આગળની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. વસિયાણી ચલાવી રહ્યા છે






Latest News