હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં એકલવાયા જીવનથી કંટાળી ગયેલા યુવાને ન કરવાનું કરી નાખ્યું


SHARE











મોરબીમાં એકલવાયા જીવનથી કંટાળી ગયેલા યુવાને ન કરવાનું કરી નાખ્યું

મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ મચ્છોનગર વિસ્તારમાં માતાજીના મંદિર સામે હેવી ઇલેક્ટ્રીક લાઈનના થાંભલા સાથે લુંગી તથા નાયલોન પટ્ટી વડે યુવાને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના મોટાભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ મચ્છોનગરના રહેવાસી અને હાલમાં ગોંડલ પાસે જામવાડી પંપ દ્વારકાધીશ હોટલમાં રહેતા વિરમભાઈ દેવશીભાઈ વાંસફોડિયા જાતે વાંજા (25) નામના યુવાને મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ મચ્છોનગર વિસ્તારમાં કાળીધાર કાલિકા માતાજીના મંદિર સામેના ભાગમાંથી પસાર થતી હેવી ઈલેક્ટ્રીક લાઈનના થાંભલા સાથે લૂંગી અને નાયલોન પટ્ટી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના બનાવની મૃતક યુવાનના ભાઈ ગોવિંદભાઈ દેવશીભાઈ વાસફોડીયા (38) રહે. મચ્છોનગર રફાળેશ્વર મોરબી વાળાએ જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે મૃતક યુવાન સ્વછંદી સ્વભાવનો હતો અને પોતાના મનનું ધાર્યું કરતો હતો અને એકલવાયું જીવન જીવવા સારું તેણે પોતાના પત્ની સાથે પરિવારના સભ્યોના ના પાડવા છતાં પણ છૂટાછેડા લઈ લીધા હતા અને પરિવાર સાથે કોઈ વ્યવહાર ન રાખીને પોતે પોતાની રીતે એકલું જીવન જીવતો હતો છેલ્લા પાંચેક વર્ષથી એકલું જીવન જીવીને કંટાળી ગયેલ યુવાન છેલ્લા ઘણા સમયથી ગુમસુમ રહેતો હતો અને માનસિક આઘાતમાં સરી ગયો હોય તે દરમિયાન તેને આ પગલું ભર્યું હોવાનું મૃતક યુવાનના પરિવારજનોએ જણાવ્યુ છે તેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News