મોરબીમાં રોડ સાઈડના દબાણ મુદે વિવિધ વેપારી સંગઠનો સાથે મહાપાલિકા મિટિંગ કરીને જરૂરી માહિતી-માર્ગદર્શન આપશે વાંકાનેરના લુણસર-ચિત્રાખડા રોડ ઉપરથી જીવના જોખમે પસાર થતાં વાહન ચાલકો મોરબીમાં વેપારીઓએ દુકાની બહાર પથરા કરેલા માલ સમાનને કમિશનરની હાજરીમાં જપ્ત કરાયો મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન મોરબી નજીકથી જુદાજુદા વાહનોમાંથી ડીઝલની ચોરી કરવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ મોરબીની કોર્ટમાં ચાલી ગયેલા ચેક રિટર્નના બે કેસમાં વેપારીનો નિર્દોષ છુટકારો મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ ત્રણ વર્ષની બાળકીનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ મોરબીના પીપળી નજીક કારખાનાના કવાર્ટરમાં અજુગતું પગલું ભરી ગયેલ પરિણીતા સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં એકલવાયા જીવનથી કંટાળી ગયેલા યુવાને ન કરવાનું કરી નાખ્યું


SHARE











મોરબીમાં એકલવાયા જીવનથી કંટાળી ગયેલા યુવાને ન કરવાનું કરી નાખ્યું

મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ મચ્છોનગર વિસ્તારમાં માતાજીના મંદિર સામે હેવી ઇલેક્ટ્રીક લાઈનના થાંભલા સાથે લુંગી તથા નાયલોન પટ્ટી વડે યુવાને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના મોટાભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ મચ્છોનગરના રહેવાસી અને હાલમાં ગોંડલ પાસે જામવાડી પંપ દ્વારકાધીશ હોટલમાં રહેતા વિરમભાઈ દેવશીભાઈ વાંસફોડિયા જાતે વાંજા (25) નામના યુવાને મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ મચ્છોનગર વિસ્તારમાં કાળીધાર કાલિકા માતાજીના મંદિર સામેના ભાગમાંથી પસાર થતી હેવી ઈલેક્ટ્રીક લાઈનના થાંભલા સાથે લૂંગી અને નાયલોન પટ્ટી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના બનાવની મૃતક યુવાનના ભાઈ ગોવિંદભાઈ દેવશીભાઈ વાસફોડીયા (38) રહે. મચ્છોનગર રફાળેશ્વર મોરબી વાળાએ જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે મૃતક યુવાન સ્વછંદી સ્વભાવનો હતો અને પોતાના મનનું ધાર્યું કરતો હતો અને એકલવાયું જીવન જીવવા સારું તેણે પોતાના પત્ની સાથે પરિવારના સભ્યોના ના પાડવા છતાં પણ છૂટાછેડા લઈ લીધા હતા અને પરિવાર સાથે કોઈ વ્યવહાર ન રાખીને પોતે પોતાની રીતે એકલું જીવન જીવતો હતો છેલ્લા પાંચેક વર્ષથી એકલું જીવન જીવીને કંટાળી ગયેલ યુવાન છેલ્લા ઘણા સમયથી ગુમસુમ રહેતો હતો અને માનસિક આઘાતમાં સરી ગયો હોય તે દરમિયાન તેને આ પગલું ભર્યું હોવાનું મૃતક યુવાનના પરિવારજનોએ જણાવ્યુ છે તેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News