મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ નજીક કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં


SHARE













ટંકારાના લજાઈ નજીક કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર લજાઈ ગામ નજીક કાર ચાલકે બે યુવાનોને લીધા હતા જેથી કરીને ઈજાગ્રસ્ત બંને યુવાનોને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને તે પૈકીના એક યુવાનને વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી શહેરના શનાળા રોડ ઉપર જીઆઇડીસીની સામેના ભાગમાં આવેલ ઈશ્વર આર્યનગરમાં રહેતા વિકાસ નરેશભાઈ ચંદવાણી (32) અને કુલદીપ કિર્તીભાઈ ધાનાણી (27) નામના બે યુવાનોને મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ જાઈ ચોકડીથી ઉમા સંસ્કારધામ વચ્ચેના ભાગમાં અજાણી કારના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેથી ઈજા પામેલા બંને યુવાનોને સારવાર માટે મોરબીની હોસ્પિટલે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવમાં વિકાસ ચંદવાણીને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને અકસ્માતના બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

તરુણ સારવારમાં

મૂળ છોટાઉદેપુર ગામના રહેવાસીને હાલમાં જોધપર ગામ પાસે રહેતા વેરસીંગભાઇ રાઠવાનો 15 વર્ષનો દીકરો જયદીપ બાઈકમાંથી કોઈ કારણોસર પડી જતા તેને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

આધેડ સારવારમાં

ટંકારા તાલુકાના ભુકોટડા ગામે રહેતા વસંતભાઈ અમરશીભાઈ જરીયા (53) નામના આધેડ બાઈકમાં સાલ ઓઢીને બેઠા હતા ત્યારે બાઈકના વ્હીલમાં સાલ આવી જવાના કારણે તેઓ રસ્તા ઉપર નીચે પડી ગયા હતા જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલ આધેડને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મહિલા સારવારમાં

પડધરી તાલુકાના ખાખળાબેલા દરબારવાસમાં રહેતા દશરથમાં રણજીતસિંહ જાડેજા (56) નામના મહિલા વાડીએથી બાઇકમાં બેસીને ઘરે જતા હતા ત્યારે રસ્તામાં કોઈ કરણોસર બાઈકમાંથી નીચે પડી જતા તેઓને ઈજા થતી સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News