મોરબી નજીકથી પાયલોટિંગ સાથે અબોલજીવને કતલખાને લઈ જવાનો મામલે: વધુ બે ની ધરપકડ મોરબીના મચ્છુ-2 ડેમ નજીક આવેલ પુલ ઉપરની નીચે ઝંપલાવીને યુવતીએ કર્યો આપઘાત મોરબી : વિન્ટેલ ફાઉન્ડેશનએ શિક્ષણ સહાય અર્થે શાળાને એક લાખનું અનુદાન અર્પણ કર્યું મોરબીમાં ઓમ વીવીઆઈએમ કોલેજમાં યુવતીઓ માટે જાગૃતિનો સેમીનાર યોજાયો મોરબીના પંચાસર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનો આવશે કાયમી અંત મોરબીમાં ઘરવિહોણા લોકો માટે યુ.સી.ડી શાખા દ્વારા આશ્રયગૃહ માટે નાઈટ-ડ્રાઈવ યોજાઇ મોરબીમાં રિપેરિંગ માટે 33 દિવસથી બંધ રાખવામા આવેલ પાડાપુલ કામ પૂરું થઈ જતાં ટ્રાફિક માટે ખુલ્લો મૂકયો વાંકાનેર ખાતે ૨૦ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

શ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી દ્વારા માતુ શ્રી વીરબાઈ માઁ ની પૂણ્યતિથી નિમિતે ધૂન-ભજન તથા મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો


SHARE













શ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી દ્વારા માતુ શ્રી વીરબાઈ માઁ ની પૂણ્યતિથી નિમિતે ધૂન-ભજન તથા મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો

સંત શિરોમણી શ્રી પૂ.જલારામ બાપાના ધર્મપત્નિ માતુશ્રી વીરબાઈ માઁ ની ૧૪૬ મી પૂણ્યતિથી નિમિતે મોરબી શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ધૂન-ભજન તથા મહાપ્રસાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં શ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબીના બહેનો તથા વૈદેહી સત્સંગ સમિતીના બહેનો દ્વારા ધૂન-ભજન કરી પૂ.જલારામ બાપા તથા માતુશ્રી વીરબાઈ માઁ ની આરાધના કરવામાં આવી હતી તેમજ બહોળી સંખ્યામાં લોકોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.કાર્યક્રમને સફળ બનાવવા ભાવનાબેન સોમૈયા, ભારતીબેન ચતવાણી, ચંદ્રિકાબેન માનસેતા, રશ્મિબેન કોટક, રીનાબેન ચૌહાણ, મીનાબેન ચંડીભમર, નયનાબેન મીરાણી, ગાયત્રીબેન પંડિત, ભારતીબેન રામાવત સહીતના મહિલા અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.




Latest News