મોરબીના શનાળા રોડે આવેલ યાર્ડમાં કપાસ-મગફળીની વિપુલ આવક: ભાવથી ખેડૂતો ખુશખુશાલ
મોરબીમાં તાણ આંચકી ઉપડયા બાદ યુવાનનું મોત
SHARE
મોરબીમાં તાણ આંચકી ઉપડયા બાદ યુવાનનું મોત
મોરબીના સામાકાંઠે જેતપર રોડ ઉપર રંગપર ગામની પાસે આવેલ સિરામિક યુનિટમાં રહીને મજૂરીકામ કરતાં મજુર યુવાનને તાણ-આંચકી ઉપડયા બાદ તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના સામાકાંઠે જેતપર રોડ ઉપર આવેલા રંગપર ગામ પાસેના વી-સેવન સીરામીક નામના યુનિટમાં રહીને મજૂરીકામ કરતાં સનાતનભાઈ માધવભાઈ લુહાર નામના ૪૦ વર્ષીય મજુર યુવાનને તાણ-આંચકી ઉપડી હતી જે દરમિયાન તેનું ગઇકાલ તા.૮ ના મોડી રાત્રીના બારેક વાગ્યાના અરસામાં મોત નિપજ્યુ હતું.જેથી બનાવ સંદર્ભે બીટ જમાદાર એ.એમ.ઝાપડિયાએ આગળની તપાસ હાથ ધરી છે.
ઝેરી દવા પી લેતા સારવારમાં
સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાના સોનગઢ ગામે રહેતા રાયધનભાઈ સવજીભાઈ રંગપરા નામનો યુવાન કોઇ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યારે થાનગઢના જ વર્ષાધાર વિસ્તારમાં રહેતો રામજીભાઈ રમેશભાઈ બાવળીયા નામના ૧૭ વર્ષીય યુવાને પણ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેને પણ સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે ખસેડાયો હતો. બંને બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે થાનગઢ પોલીસને જાણ કરી હતી.