મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

વાંકાનેરનાં ફળેશ્વર મંદિર ખાતે જલારામ જયંતિની કરાશે ઉજવણી


SHARE













વાંકાનેરનાં ફળેશ્વર મંદિર ખાતે જલારામ જયંતિની કરાશે ઉજવણી

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરનાં ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજ્ય જલારામ બાપાની 222 મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવશે.

આગામી તા. 11 નાં રોજ જલારામ જયંતિ નિમિત્તે પૂજન અર્ચન સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, ફળેશ્વર મંદિર (મુની બાવાની જગ્યા) ખાતે શિવાલય ઉપરાંત રામચંદ્રજી તથા સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપા બિરાજમાન છે, જલારામ જયંતિ નિમિત્તે નિજ મંદિરમાં પુષ્પ શણગાર, પૂજ્ય જલારામ બાપાની મૂર્તિ પ્રતિમાની પૂજન અર્ચન વિધિ કરાશે જે પૂજનવિધિમાં બાબભાઈ લાખાણી (સમીર ટ્રેડર્સ) તથા ફળેશ્વર મંદિરનાં સંચાલક વિશાલ ભાઈ પટેલ બેસશે, પૂજનવિધિ બાદ મહાઆરતી થશે, જલારામ જયંતિનાં દિવસે જ મંદિરનાં પૂર્વ સંચાલક સ્વ.પટેલ બાપુની પ્રથમ વાર્ષિક પુણ્ય તિથિ નિમિત્તે બપોરે ભૂદેવો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે, સાંજે 5 કલાકે બટુક ભોજન રાખેલ છે, રાત્રે 9:30 કલાકે ભક્તિ સંધ્યા કાર્યક્રમ યોજાશે, જેમાં શ્યામ ધૂન મંડળ દ્વારા કિર્તન, ધૂન ભજન, ભક્તિ ગીતો, ભક્તિ સંગીત રજૂ કરાશે, ભક્તિ સંધ્યા કાર્યક્રમમાં ભાવિકજનોને પધારવા ફળેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.






Latest News