ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરનાં ફળેશ્વર મંદિર ખાતે જલારામ જયંતિની કરાશે ઉજવણી


SHARE













વાંકાનેરનાં ફળેશ્વર મંદિર ખાતે જલારામ જયંતિની કરાશે ઉજવણી

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરનાં ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજ્ય જલારામ બાપાની 222 મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવશે.

આગામી તા. 11 નાં રોજ જલારામ જયંતિ નિમિત્તે પૂજન અર્ચન સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, ફળેશ્વર મંદિર (મુની બાવાની જગ્યા) ખાતે શિવાલય ઉપરાંત રામચંદ્રજી તથા સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપા બિરાજમાન છે, જલારામ જયંતિ નિમિત્તે નિજ મંદિરમાં પુષ્પ શણગાર, પૂજ્ય જલારામ બાપાની મૂર્તિ પ્રતિમાની પૂજન અર્ચન વિધિ કરાશે જે પૂજનવિધિમાં બાબભાઈ લાખાણી (સમીર ટ્રેડર્સ) તથા ફળેશ્વર મંદિરનાં સંચાલક વિશાલ ભાઈ પટેલ બેસશે, પૂજનવિધિ બાદ મહાઆરતી થશે, જલારામ જયંતિનાં દિવસે જ મંદિરનાં પૂર્વ સંચાલક સ્વ.પટેલ બાપુની પ્રથમ વાર્ષિક પુણ્ય તિથિ નિમિત્તે બપોરે ભૂદેવો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે, સાંજે 5 કલાકે બટુક ભોજન રાખેલ છે, રાત્રે 9:30 કલાકે ભક્તિ સંધ્યા કાર્યક્રમ યોજાશે, જેમાં શ્યામ ધૂન મંડળ દ્વારા કિર્તન, ધૂન ભજન, ભક્તિ ગીતો, ભક્તિ સંગીત રજૂ કરાશે, ભક્તિ સંધ્યા કાર્યક્રમમાં ભાવિકજનોને પધારવા ફળેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.






Latest News