રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

વાંકાનેરનાં ફળેશ્વર મંદિર ખાતે જલારામ જયંતિની કરાશે ઉજવણી


SHARE









વાંકાનેરનાં ફળેશ્વર મંદિર ખાતે જલારામ જયંતિની કરાશે ઉજવણી

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરનાં ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજ્ય જલારામ બાપાની 222 મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવશે.

આગામી તા. 11 નાં રોજ જલારામ જયંતિ નિમિત્તે પૂજન અર્ચન સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, ફળેશ્વર મંદિર (મુની બાવાની જગ્યા) ખાતે શિવાલય ઉપરાંત રામચંદ્રજી તથા સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપા બિરાજમાન છે, જલારામ જયંતિ નિમિત્તે નિજ મંદિરમાં પુષ્પ શણગાર, પૂજ્ય જલારામ બાપાની મૂર્તિ પ્રતિમાની પૂજન અર્ચન વિધિ કરાશે જે પૂજનવિધિમાં બાબભાઈ લાખાણી (સમીર ટ્રેડર્સ) તથા ફળેશ્વર મંદિરનાં સંચાલક વિશાલ ભાઈ પટેલ બેસશે, પૂજનવિધિ બાદ મહાઆરતી થશે, જલારામ જયંતિનાં દિવસે જ મંદિરનાં પૂર્વ સંચાલક સ્વ.પટેલ બાપુની પ્રથમ વાર્ષિક પુણ્ય તિથિ નિમિત્તે બપોરે ભૂદેવો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે, સાંજે 5 કલાકે બટુક ભોજન રાખેલ છે, રાત્રે 9:30 કલાકે ભક્તિ સંધ્યા કાર્યક્રમ યોજાશે, જેમાં શ્યામ ધૂન મંડળ દ્વારા કિર્તન, ધૂન ભજન, ભક્તિ ગીતો, ભક્તિ સંગીત રજૂ કરાશે, ભક્તિ સંધ્યા કાર્યક્રમમાં ભાવિકજનોને પધારવા ફળેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.






Latest News