ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર નજીક બાઈકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર કાર ચાલકની ધરપકડ


SHARE







મોરબીના ભરતનગર નજીક બાઈકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર કાર ચાલકની ધરપકડ

મોરબીના ભરતનગર પાસે વાહન અકસ્માતના બનાવમાં કાર ચાલકે બાઈકને હડફેટે લેતા રવાપર નદી ગામે આવેલ શક્તિનગર વિસ્તારમાં રહેતા યુવાનનું મોત નિપજયુ હતું. જેની ફરિયાદ નોંધાયેલ હતી તે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.

મોરબી તાલુકાનાં રવાપર નદી ગામે શક્તિનગર વિસ્તારમાં રહેતો મહેશભાઈ બચુભાઈ ઘાટેલીયા (26) નામનો અપરિણીત યુવાન ગત તા. 16 ના રોજ રાત્રિના નવેક વાગ્યે તેનું બાઈક લઈને જતો હતો. ત્યારે ભરતનગર પાસે આવેલ કેસવ થાળની સામેના ભાગે કાર નં. જીજે 36 એજે 9011 ના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં મહેશભાઈ ઘાટેલીયા નામના યુવાનનું મોત નીપજયું હતું. જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને કાર ચાલકની સામે મૃતકના કુટુંબિક ભાઈ યોગેશભાઈ રમેશભાઈ ઘાંટેલીયા રહે. શક્તિનગર રવાપર નદી વાળાએ ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ કેસની તપાસ પીએસઆઈ એ.બી. મિશ્રા તથા રાઇટર જીતેનદાન ગઢવી કરી રહ્યા હોય તેને આરોપી ઉદયરાજસિંહ ગિરિરાજસિંહ જાડેજા (27) રહે. અનંતનગર મોરબી વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી.

વૃદ્ધ સારવારમાં

મોરબીમાં રહેતા ઇલિયાસ અકબરશા સૈયદ (65) નામના વૃદ્ધને મોરબીના વીસીપરા પાસે આવેલ વિજયનગરના ખૂણા પાસે હતા ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં તેઓને  ઈજા થઈ હતી જેથી તેમને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે.

એસિડ પી લેતા સારવારમાં

મોરબીમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા રાજેશ મેરૂભાઈ સેલાણીયા (30) નામનો યુવાન મોરબીના નટરાજ ફાટક પાસે હતો ત્યારે ત્યાં કોઈ કારણોસર તેને એસિડ પી લીધું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી તે યુવાનને વધુ સારવાર માટે રાજકોટ ખેસાડવામાં આવેલ છે અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વાલભા ચાવડા દ્વારા કરવામાં આવી હતી.






Latest News