લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર નજીક બાઈકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર કાર ચાલકની ધરપકડ


SHARE

















મોરબીના ભરતનગર નજીક બાઈકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર કાર ચાલકની ધરપકડ

મોરબીના ભરતનગર પાસે વાહન અકસ્માતના બનાવમાં કાર ચાલકે બાઈકને હડફેટે લેતા રવાપર નદી ગામે આવેલ શક્તિનગર વિસ્તારમાં રહેતા યુવાનનું મોત નિપજયુ હતું. જેની ફરિયાદ નોંધાયેલ હતી તે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.

મોરબી તાલુકાનાં રવાપર નદી ગામે શક્તિનગર વિસ્તારમાં રહેતો મહેશભાઈ બચુભાઈ ઘાટેલીયા (26) નામનો અપરિણીત યુવાન ગત તા. 16 ના રોજ રાત્રિના નવેક વાગ્યે તેનું બાઈક લઈને જતો હતો. ત્યારે ભરતનગર પાસે આવેલ કેસવ થાળની સામેના ભાગે કાર નં. જીજે 36 એજે 9011 ના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં મહેશભાઈ ઘાટેલીયા નામના યુવાનનું મોત નીપજયું હતું. જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને કાર ચાલકની સામે મૃતકના કુટુંબિક ભાઈ યોગેશભાઈ રમેશભાઈ ઘાંટેલીયા રહે. શક્તિનગર રવાપર નદી વાળાએ ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ કેસની તપાસ પીએસઆઈ એ.બી. મિશ્રા તથા રાઇટર જીતેનદાન ગઢવી કરી રહ્યા હોય તેને આરોપી ઉદયરાજસિંહ ગિરિરાજસિંહ જાડેજા (27) રહે. અનંતનગર મોરબી વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી.

વૃદ્ધ સારવારમાં

મોરબીમાં રહેતા ઇલિયાસ અકબરશા સૈયદ (65) નામના વૃદ્ધને મોરબીના વીસીપરા પાસે આવેલ વિજયનગરના ખૂણા પાસે હતા ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં તેઓને  ઈજા થઈ હતી જેથી તેમને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે.

એસિડ પી લેતા સારવારમાં

મોરબીમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા રાજેશ મેરૂભાઈ સેલાણીયા (30) નામનો યુવાન મોરબીના નટરાજ ફાટક પાસે હતો ત્યારે ત્યાં કોઈ કારણોસર તેને એસિડ પી લીધું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી તે યુવાનને વધુ સારવાર માટે રાજકોટ ખેસાડવામાં આવેલ છે અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વાલભા ચાવડા દ્વારા કરવામાં આવી હતી.




Latest News