મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના મમુદાઢી હત્યા-ગુજસીટોકના ગુનામાં પકડાયેલ મુખ્ય સૂત્રધાર સહિતના ત્રણ આરોપીના પંદર દિવસના રીમાન્ડ મંજુર


SHARE













મોરબીના  મમુદાઢી હત્યા કેસ અને ગુજસીટોકના મુખ્ય સૂત્રધાર સહિતના ત્રણ આરોપીએ રાજકોટમાં આવેલ ગુજસીટોકની કોર્ટમાં સરેન્ડર કર્યું હતું જેથી કરીને કોર્ટે ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કરેલ હતો જે ત્રણેય આરોપીઓનો કોર્ટમાંથી તપાસનીસ અધિકારીએ કબજો લઇને પંદર દિવસના રીમાન્ડ મેળવ્યા છે. જેથી આરોપીઓએ ગુનાને અંજામ આપીને આટલા વર્ષોથી ક્યાં ક્યાં રોકાયા હતા ?, કોણે તેને આશરો આપ્યો હતો ? તે સહિતની દિશાઓમાં હવે પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી છે


મોરબીમાં વર્ષ 2021 માં આરીફ મીર અને તેની ગેંગ સામે ગુજસીટોકનો ગુનો હતો અને 18 શખ્સની સામે જે તે સમયે ગુનો નોંધાયો હતો તે પૈકીના 15 આરોપીઓની સમયાંતરે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે જોકે આ ગુનામાં આરીફ મીર સહિતના ત્રણ આરોપીઓને પકડવાના બાકી હતા જેથી તેને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી. દરમ્યાન આ ગુનાની તપાસ કરી રહેલા અધિકારી દ્વારા ગુજસીટોકના ગુનામાં નાસતા ફરતા ત્રણેય આરોપીઓની મિલકતો જપ્ત કરવામીં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2021 માં સનાળા બાયપાસ રોડ પાસે મમુદાઢીની તા 8/9/21 ના રોજ હત્યા કરવામાં આવી હતી અને ત્યાર બાદ તે ગુનામાં 30/9/21 ના રોજ આરીફ મીર અને તેની ગેંગના 18 શખ્સો સામે ગુજસીટોકનો ઉમેરો કરવામાં આવ્યો હતો. અને સોમવાર તા 25/11/24 ના રોજ રાજકોટમાં આવેલ ગુજસીટોકની કોર્ટમાં સરેન્ડર કર્યું હતું જેથી કરીને  કોર્ટે ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કરેલ છે. જે આરોપીઓએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતુ તેમા મુખ્ય સુત્રાધાર આરીફ ગુલમામદભાઇ ધોળા જાતે મીર, મકસુદભાઇ ગફુરભાઇ સમા અને કાદર ઉર્ફે બચ્ચન ગનીભાઇ મતવા જાતે કુરેશીનો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓને કોર્ટે જેલ હવાલે કર્યા બાદ હત્યા અને ગુજસીટોકના કેસની તપાસ કરી રહેલા મોરબીના ડીવાયએસપી પી.એ. ઝાલા દ્વારા ત્રણેય આરોપીઓનો જેલમાંથી કબજો લેવામાં આવેલ છે અને રિમાન્ડની માંગણી સાથે તેને કોર્ટમાં રજૂ કર્યા હતા અને કોર્ટે ત્રણેય આરોપીઓના 15 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જેથી હત્યાના ગુનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ કયા કયા રોકાયા હતા ?, તેઓને કોણે આશરો આપ્યો હતો ? તેમજ અન્ય કયા કયા ગુનાઓમાં સંડોવણી છે ? તે સહિતની દિશાઓમાં હવે તપાસનાસ અધિકારીની  ટીમ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News