માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીની ત્રાજપર ચોકડીથી ઘુંટુ સુધીનો રોડ ફોરલેન બનાવવા સીએમને રજૂઆત


SHARE

















મોરબીની ત્રાજપર ચોકડીથી ઘુંટુ સુધીનો રોડ ફોરલેન બનાવવા સીએમને રજૂઆત

મોરબીના જૂના ઘૂટું રોડે સતત ટ્રાફિક રહે છે જેથી કરીને મોરબીની ત્રાજપર ચોકડીથી લઈને ઘૂટું સુધીના જુના ઘુંટુ રોડને ફોરલેન બનાવવામાં આવે તે અનિવાર્ય છે જેથી કરીને આ બાબતે ત્રાજપરના પૂર્વ સરપંચ દ્વારા સીએમને રજૂઆત કરવામાં આવી છે.

હાલમાં ત્રાજપર ગામના પૂર્વ સરપંચ અશોકભાઈ વરાણીયા દ્વારા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને જે રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, ત્રાજપર ગામ પાસે આવેલ ચોકડી જેને ત્રાજપર ચોકડી કહેવામા આવે છે ત્યાંથી લઈને ઘૂટું સુધીનો જે ત્રણ કિલો મીટરનો ઘૂટું રોડ આવેલ છે ત્યાં સતત ટ્રાફિક રહે છે જેથી કરીને લોકોને અને ખાસ કરીને વાહન ચાલકોને હેરાન થવું પડે છે જેથી કરીને આ રોડને ફોરલેન બનાવવામાં આવે તે જરૂરી છે. ખાસ કરીને કારખાનામાં નોકરીએ જતાં લોકો અને શાળા તેમજ એસટીનો બસો પણ ત્યાં ટ્રાફિકના કારણે ફસાઈ છે આટલું જ નહીં વારંવાર અકસ્માત પણ થાય છે જેથી કરીને ટ્રાફિકનો પ્રશ્ન ઉકેલવા માટે આ રોડ ફોરલેન બનાવવામાં આવે તેવી પૂર્વ સરપંચે માંગ કરી છે.




Latest News