મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીની ત્રાજપર ચોકડીથી ઘુંટુ સુધીનો રોડ ફોરલેન બનાવવા સીએમને રજૂઆત


SHARE













મોરબીની ત્રાજપર ચોકડીથી ઘુંટુ સુધીનો રોડ ફોરલેન બનાવવા સીએમને રજૂઆત

મોરબીના જૂના ઘૂટું રોડે સતત ટ્રાફિક રહે છે જેથી કરીને મોરબીની ત્રાજપર ચોકડીથી લઈને ઘૂટું સુધીના જુના ઘુંટુ રોડને ફોરલેન બનાવવામાં આવે તે અનિવાર્ય છે જેથી કરીને આ બાબતે ત્રાજપરના પૂર્વ સરપંચ દ્વારા સીએમને રજૂઆત કરવામાં આવી છે.

હાલમાં ત્રાજપર ગામના પૂર્વ સરપંચ અશોકભાઈ વરાણીયા દ્વારા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને જે રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, ત્રાજપર ગામ પાસે આવેલ ચોકડી જેને ત્રાજપર ચોકડી કહેવામા આવે છે ત્યાંથી લઈને ઘૂટું સુધીનો જે ત્રણ કિલો મીટરનો ઘૂટું રોડ આવેલ છે ત્યાં સતત ટ્રાફિક રહે છે જેથી કરીને લોકોને અને ખાસ કરીને વાહન ચાલકોને હેરાન થવું પડે છે જેથી કરીને આ રોડને ફોરલેન બનાવવામાં આવે તે જરૂરી છે. ખાસ કરીને કારખાનામાં નોકરીએ જતાં લોકો અને શાળા તેમજ એસટીનો બસો પણ ત્યાં ટ્રાફિકના કારણે ફસાઈ છે આટલું જ નહીં વારંવાર અકસ્માત પણ થાય છે જેથી કરીને ટ્રાફિકનો પ્રશ્ન ઉકેલવા માટે આ રોડ ફોરલેન બનાવવામાં આવે તેવી પૂર્વ સરપંચે માંગ કરી છે.








Latest News