મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

મોરબીના બરવાળા ગામે થયેલ લેન્ડ ગ્રેબિંગના કેસમાં આરોપીનો જામીન પર છુટકારો


SHARE













મોરબીના બરવાળા ગામે થયેલ લેન્ડ ગ્રેબિંગના કેસમાં આરોપીનો જામીન પર છુટકારો

મોરબી તાલુકાનાં બરવાળા ગામે ખેતીની જમીનમાં કબ્જો કરીને વાવેતર કર્યું હતું જેથી કરીને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરેલ હતી જે ગુનામાં પકડાયેલા બે આરોપીના જામીન માટેની અરજી કરવામાં આવી હતી જેમાં આરોપીના શરતી જામીન મંજૂર કરવામાં આવેલ છે.

મોરબી તાલુકાનાં બરવાળા ગામની ખેતીની જામીન સર્વે નં.84 પૈકી 1 વાળી ખેતીની જમીન રવાપરના રહેવાસી મગનભાઈ થોભણભાઈ ભાલોડીયાએ સને 2022 માં વેચાણ લીધેલી હતી તે ખેતીની જમીનમાં બરવાળા ગામના રાતભાઈ દેવાભાઇ અને રણછોડભાઈ જીવનભાઈએ ફરિયાદીની જમીનમાં કબ્જો કરી વાવેતર કર્યું હતું અને આરોપીએ કબ્જો ખાલી ન કરતા ફરિયાદી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરેલ હતી તે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ થયેલ હતી અને આરોપીતેના વકીલ મારફતે મોરબીની સ્પેશ્યલ લેન્ડ ગ્રેબિંગ કોર્ટમાં જામીન અરજી કરેલ હતી જેમાં આરોપી તરફે તેમના વકીલ દ્વારા કરેલ દલીલ ધ્યાને રાખીને આરોપીને શરતી જામીન મંજુર કર્યા છે આ કેસમાં આરોપીઓ તરફે મોરબીના સિનિયર વકીલ જીતેન્દ્રસિંહ આર જાડેજા (જીતુભા) અને મયુર પુજારા રોકાયેલ હતા.








Latest News