મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં કોઈ ગેંગ છે જ નહીં, જો હોય તો તેની સામે હું લડવા માટે તૈયાર છું: ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા


SHARE













મોરબીમાં કોઈ ગેંગ છે જ નહીં જો હોય તો તેની સામે હું લડવા માટે તૈયાર છું: ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા

મોરબીમાં પાટીદાર સમાજના એક બે નહીં પરંતુ 200 જેટલા યુવાનો દ્વારા કલેક્ટરને અરજી કરીને હથિયાર લાયસન્સ આપવાની માંગ કરી છે. તે બાબતે મોરબીના ધારાસભ્યએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે “મોરબીની આસપાસના વિસ્તારમાં 3,000 જેટલા કારખાને આવેલા છે તેમાં ધાક ધમકી આપીને કોઈ પૈસા પડાવવા ગયા હોય તેવો દાખલો આજ સુધીમાં મોરબીમાં બન્યો નથી અને મોરબીમાં આજની તારીખે કોઈ ગેંગ પણ નથી અને કોઈ ગેંગ હોય તો તેની સામે જાહેર જીવનમાં હું લડવા માટે તૈયાર છે”

મોરબીમાં પાટીદાર યુવા સંઘ દ્વારા મનોજ પનારાની આગેવાની હેઠળ જિલ્લા કલેકટર કચેરી ખાતે જઈને કલેકટરને એક સાથે 200 જેટલી અરજીઓ આપીને કલેક્ટર પાસેથી પોતાના સ્વરક્ષણ માટે થઈને હથિયારના લાયસન્સની માંગણી કરવામાં આવી છે કારણ કે છેલ્લા સમયગાળા દરમિયાન મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર લુખાગીરી અને દાદાગીરીએ માઝા મૂકી છે તેમજ યુવાનોને વ્યાજખોરી અને હનીટ્રેપમાં ફસાવીને પૈસા પડાવવા સહિતની ઘટનાઓ મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં બની છે અને જો રૂપિયા ન આપવામાં આવે તો અપહરણ કરવામાં આવે, મારામારી કરવામાં આવે તેવી આવી ઘટનાઓ પણ બની છે.

ત્યારે ભોગ બનેલા વ્યક્તિની ફરિયાદો લેવામાં કાંતો વિલંબ થાય અથવા તો ફરિયાદ લીધા પછી પણ કડક હાથે કાર્યવાહી નથી થતી તેવો આક્ષેપ પાટીદાર યુવા સંઘ દ્વારા કરવામાં આવ્યો હતો અને પાટીદાર સમાજના યુવાનોએ પોતાના રક્ષણ માટે હથિયારના લાયસન્સ માટેની અરજીઓ કરી છે તે બાબતે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો સંપર્ક કરતા તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે “મોરબીની આસપાસના વિસ્તારમાં એક બે નહીં પરંતુ 3,000 જેટલા નાના મોટા કારખાના આવેલા છે અને આ કારખાનાની અંદર આજ દિવસ સુધીમાં ક્યારેય પણ કોઈ વ્યક્તિને ધાક ધમકી આપીને કોઇની પાસેથી પૈસા પડાવ્યા હોય તેવી ઘટના બનેલ નથી. આટલું જ નહીં પરંતુ આજની તારીખે મોરબીમાં કોઈ ગેંગ પણ નથી અને જો કોઈ ગેંગ હોય તો તેની સામે જાહેર જીવનમાં હું લડવા માટે તૈયાર છું”

વધુમાં તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2017 માં તેઓ વિધાનસભાની ચૂંટણી હાર્યા હતા ત્યાર પછીના પાંચ વર્ષ દરમિયાન થોડા ઘણા દૂષણો આવ્યા હતા જેમાં પાંચ ટકાથી લઈને 20 ટકા સુધીના જે દૂષણો છે તેને ડામવા માટે થઈને હાલમાં કાર્યવાહી ચાલી રહી છે અને કલેક્ટર, એસપી અને સરકાર દ્વારા અવારનવાર જે લોકો વ્યાજખોરી સહિતના ગુનામાં પકડાયેલ હોય છે તેની સામે પાસા કરવામાં આવે છે જો કે, ત્યારબાદ તે છૂટી જાય તો તેમાં અધિકારી કે સરકાર જવાબદાર નથી. પરંતુ મોરબીના લોકોને કોઈપણ સમસ્યા હોય કે પછી કારખાનેદાર પાસે કોઈપણ શખ્સ ધાક ધમકી આપીને રૂપિયા લેવા માટે આવે કે પછી રૂપિયાની માંગણી કરે તો હું કાયમી ભોગ બનેલા લોકોની સાથે રહીશ. તેવી લાગણી ધારાસભ્યએ વ્યક્ત કરેલ છે.








Latest News