હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપર ગામે વાંચનાલય આપવા માટે મુખ્યમંત્રી સમક્ષ તાલુકા પંચાયતના પૂર્વ સભ્યએ કરી માંગ


SHARE













મોરબીના ત્રાજપર ગામે વાંચનાલય આપવા માટે મુખ્યમંત્રી સમક્ષ તાલુકા પંચાયતના પૂર્વ સભ્યએ કરી માંગ

મોરબી તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય તેમજ એડવોકેટ અને ભરવાડ સમાજના અગ્રણી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને ત્રાજપર ગ્રામ પંચાયત વિસ્તારમાં વાંચનાલય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.

મોરબી તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય કરસનભાઈ ભરવાડ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને ત્રાજપર ગ્રામ પંચાયત વિસ્તારમાં વાંચનાલય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. હાલમાં મુખ્યમંત્રીને ઉદેશીને લખાયેલા પત્રમાં તેઓ જણાવ્યું છે કે ત્રાજપર વિસ્તારમાં અનેક નાના મોટા ઉદ્યોગો આવેલા છે અને સામાકાંઠે અનેક સોસાયટી આવેલ છે તે ઉપરાંત ત્યાં શાળા કોલેજો પણ આવેલા છે જેથી યુવાનો અને વૃદ્ધો માટે વાંચનાલય બનાવવામાં આવે તે જરૂરી છે અને ત્યાં ધાર્મિક તેમજ ઉચ્ચ અભ્યાસને લગતા, સ્પર્ધાત્મક તૈયારીઓને લગતા પુસ્તકો તેમજ દૈનિક વર્તમાન પત્રો તે ઉપરાંત સ્વતંત્ર સેનાનીઓ અને ભારતનો ઇતિહાસ ઉજાગર કરતા શહીદ વીરો જેમ કે ગાંધીજી, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, જવાલાલ નહેરુ, સ્વામી વિવેકાનંદ જેવા પ્રેરણાદાયી વ્યક્તિત્વના પુસ્તકો અને જીવન ચરિત્રો જો વાતનાલયમાં મૂકવામાં આવે તો આસપાસના ઘણા વિસ્તારોને તેનો લાભ મળે તેમ છે. માટે મોરબીના ત્રાજપર વિસ્તારમાં ગ્રામ પંચાયતની હદમાં વાંચનાલય આપવામાં આવે તેવી લોકો હતીમાં માંગ કરી છે. વધુમાં તેઓએ જણાવ્યું છે કે આજનું યુવા ધન મોબાઈલમાં રચ્યુ પચ્યું રહેતું હોય ત્યારે વંચનાલય બનાવવામાં આવશે તો યુવાનો વાંચન તરફ વળશે અને તેઓનું મગજ શાંત રહેશે, ખોટા વિચારો નહીં આવે અને ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ વળતા બચી જશે જેથી કરીને ત્રાજપર વિસ્તારમાં વાંચનાલય આપવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News