મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપર ગામે વાંચનાલય આપવા માટે મુખ્યમંત્રી સમક્ષ તાલુકા પંચાયતના પૂર્વ સભ્યએ કરી માંગ


SHARE







મોરબીના ત્રાજપર ગામે વાંચનાલય આપવા માટે મુખ્યમંત્રી સમક્ષ તાલુકા પંચાયતના પૂર્વ સભ્યએ કરી માંગ

મોરબી તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય તેમજ એડવોકેટ અને ભરવાડ સમાજના અગ્રણી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને ત્રાજપર ગ્રામ પંચાયત વિસ્તારમાં વાંચનાલય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.

મોરબી તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય કરસનભાઈ ભરવાડ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને ત્રાજપર ગ્રામ પંચાયત વિસ્તારમાં વાંચનાલય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. હાલમાં મુખ્યમંત્રીને ઉદેશીને લખાયેલા પત્રમાં તેઓ જણાવ્યું છે કે ત્રાજપર વિસ્તારમાં અનેક નાના મોટા ઉદ્યોગો આવેલા છે અને સામાકાંઠે અનેક સોસાયટી આવેલ છે તે ઉપરાંત ત્યાં શાળા કોલેજો પણ આવેલા છે જેથી યુવાનો અને વૃદ્ધો માટે વાંચનાલય બનાવવામાં આવે તે જરૂરી છે અને ત્યાં ધાર્મિક તેમજ ઉચ્ચ અભ્યાસને લગતા, સ્પર્ધાત્મક તૈયારીઓને લગતા પુસ્તકો તેમજ દૈનિક વર્તમાન પત્રો તે ઉપરાંત સ્વતંત્ર સેનાનીઓ અને ભારતનો ઇતિહાસ ઉજાગર કરતા શહીદ વીરો જેમ કે ગાંધીજી, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, જવાલાલ નહેરુ, સ્વામી વિવેકાનંદ જેવા પ્રેરણાદાયી વ્યક્તિત્વના પુસ્તકો અને જીવન ચરિત્રો જો વાતનાલયમાં મૂકવામાં આવે તો આસપાસના ઘણા વિસ્તારોને તેનો લાભ મળે તેમ છે. માટે મોરબીના ત્રાજપર વિસ્તારમાં ગ્રામ પંચાયતની હદમાં વાંચનાલય આપવામાં આવે તેવી લોકો હતીમાં માંગ કરી છે. વધુમાં તેઓએ જણાવ્યું છે કે આજનું યુવા ધન મોબાઈલમાં રચ્યુ પચ્યું રહેતું હોય ત્યારે વંચનાલય બનાવવામાં આવશે તો યુવાનો વાંચન તરફ વળશે અને તેઓનું મગજ શાંત રહેશે, ખોટા વિચારો નહીં આવે અને ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ વળતા બચી જશે જેથી કરીને ત્રાજપર વિસ્તારમાં વાંચનાલય આપવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News