મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં કોલેજે જવા નીકળ્યા બાદ ગુમ થયેલ યુવતીએ પ્રેમલગ્ન કરી લીધા


SHARE













મોરબીમાં કોલેજે જવા નીકળ્યા બાદ ગુમ થયેલ યુવતીએ પ્રેમલગ્ન કરી લીધા

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશન ખાતે બસમાંથી ઉતર્યા બાદ કોલેજે જવા માટે નીકળેલી યુવતી કોઈ કારણોસર ગુમ થઈ ગયેલ જેથી તેના પિતા દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા ગુમ થયેલ યુવતીની શોધખોળ કરવામાં આવતા સામે આવ્યુ હતુ કે યુવતીએ પ્રેમલગ્ન કરી લીધેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે માળિયા મીંંયાણાના જૂના ઘાંટીલા ગામે રહેતા વિમલભાઈ મહાદેવભાઇ વિડજા પટેલ (૪૯) દ્વારા પોલીસ સ્ટેશન ખાતે આવીને જાહેરાત કરવામાં આવી હતી કે તેઓની ૨૦ વર્ષીય પુત્રી દીક્ષિતાબેન વિમલભાઈ વિડજા તા.૨૨ ના રોજ સવારે ૭:૩૦ વાગ્યે તેઓની સાથે ઘાંટીલા ગામેથી બસમાં મોરબી આવ્યા હતા અને નવા બસ સ્ટેશન ખાતે કોલેજ જવાનું કહીને ઉતર્યા હતા અને બાદમાં તેણી ઘરે પરત આવેલા ન હોય તેમજ ઘરમેળે તપાસ કરવા છતાં પણ તેણીનો પતો લાગેલ નહીં જેથી પોલીસ દ્વારા ગુમસુધા નોંધ દાખલ કરવામાં આવેલી હતી અને ગુમ થયેલી યુવતી અંગે શોધખોળ શરૂ કરવામાં આવેલ.દરમિયાનમાં સામે આવ્યુ હતુ કે દિક્ષિતાબેનને છેલ્લા ત્રણેક વર્ષથી મોરબી ખાતે રહેતા વિવેકભાઈ મનસુખભાઈ સંતોકી નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો અને તેની સાથે તેણીએ સુરતના કામરેજ ખાતે પ્રેમલગ્ન કરી લીધા હતા અને તેઓ ત્યાં રહેતા હતા અને ગુમસુધા પોલીસ ફરીયાદની જાણ કરવામાં આવેલી હોય તેઓ પોલીસ સમક્ષ હાજર થયા હતા અને ઉપરોક્ત નિવેદન આપ્યું હતું.

વાહન અકસ્માતમાં ઈજા

ધાંગધ્રા પાસે આવેલ કોંઢ નજીકના રતનપર ખાતે રહેતા કાળુભાઈ નથુભાઈ ડોડીયા નામના ૫૪ વર્ષીય આધેડને કોંઢ ચોકડી પાસે અજાણ્યા વાહનની હડફેટે ઇજા પામેલ હાલતમાં વધુ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના રફાળેશ્વર ગામે આવેલ કારખાનાના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતા પરિવારનો એક વર્ષનો અંશુ દિનેશભાઈ રાજભર નામનો બાળક રમતા રમતા ગરમ પાણીમાં દાજી જતા સારવાર માટે સિવિલ ખાતે લાવવામાં આવ્યો હતો.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબી નજીકના ધરમપુર ગામે ઘર પાસે થયેલ ધોકા-પાઇપ વડેની મારામારીમાં ઇજા પામેલા હાલતમાં કિશન કાંતિભાઈ નાયક નામના ૩૨ વર્ષના યુવાનને મોરબી સિવિલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે તાલુકા પોલીસ મથકમાં જાણ થતા સ્ટાફના એ.એમ. ઝાપડિયા દ્વારા તપાસ કરવામાં આવી હતી.

વૃદ્ધ સારવારમાં

સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે રહેતા રામકુભાઈ દેહાભાઇ ખાચર નામના ૮૦ વર્ષના વૃદ્ધ કુંઢડા ગામેથી ચોટીલા તરફ જતા હતા.ત્યારે રસ્તામાં મંદીર નજીક તેઓ બાઈકમાંથી નીચે પડી જતા ઇજા પામેલ હાલતમાં અત્રેની ખાનગી હોસ્પિટલે વધુ સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News