મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા બિનવારસી લાશની ઓળખ કરવા તજવીજ હાથ ધરાઈ
મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં પરિણીતાને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં પતિ સહિત ત્રણ જેલ હવાલે
SHARE
મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં પરિણીતાને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં પતિ સહિત ત્રણ જેલ હવાલે
મોરબીના નવા ધરમપુર ગામે રહેતી મહિલાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ હતો જો કે, તેના શરીર ઉપર મારના નિશાન જોવા મળ્યા હતા જેથી કરીને મૃતક મહિલાના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની બહેનને મારવા માટે મજબૂર કરવામાં આવી છે તેવી ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે મૃતક મહિલાના પતિ સહિત ત્રણ આરોપીની પોલીસે ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.
મોરબી નજીકના નવા ધરમપુર ગામે રહેતા સંજયભાઈ ઉપાસરિયાના પત્ની કિરણબેન ઉપાસરિયા (35)એ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મૃતક મહિલાના શરીર ઉપર મારના નિશાન જોવા મળ્યા હતા જેથી તેના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટની મેડિકલ કોલેજ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જે બનાવમાં મૃતક મહિલાના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ખાતે તેની બહેનને મારવા માટે મજબૂર કરવામાં આવી છે તેવી ફરિયાદ નોંધાવેલ હતી જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા. આ ગુનામાં પીએસઆઈ એન.બી. ડાંગર અને રાઇટર વિજયભાઈ ડાંગર દ્વારા મૃતક મહિલાના પતિ સંજયભાઈ મધુભાઈ ઉપસરિયા (32), મધુભાઈ લાખાભાઇ ઉપસરિયા (70) અને લવિંગા મધુભાઈ ઉપસરિયા (65) રહે. ત્રણેય નવા ધરમપુર મોરબી વાળાની ધરપકડ કરેલ હતી અને ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે. તેવી માહિતી પોલીસ પાસેથી મળેલ છે.









