મોરબીના પાવળીયારી નજીક કારખાનાના ક્વાર્ટરમાં પરણીતાએ ન કરવાનું કરી નાખ્યું
SHARE
મોરબીના પાવળીયારી નજીક કારખાનાના ક્વાર્ટરમાં પરણીતાએ ન કરવાનું કરી નાખ્યું
મોરબી તાલુકાના પાવળીયારી નજીક આવેલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતી પરણીતાએ કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ થઇ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ પર આવેલ પાવરીયાળી નજીક પેન્ટાગોન કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા રાજકુમાર આદિવાસીના પત્ની કવિતાબેન (40)એ કોઈ કારણોસર પોતે પોતાની જાતે લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તે મહિલાના મૃતદેહને તેના પતિ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને મહિલાએ કયા કારણો અંતિમ પગલું ભર્યું હતું તે દિશામાં આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.બી.ડાંગર ચલાવી રહ્યા છે