માળિયા (મી)ના મોટા દહીંસરા, તરઘડી, ચાંચાવદરડા સહિતના ગામના ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી આપો: કિશોરભાઈ ચિખલીયા
SHARE
માળિયા (મી)ના મોટા દહીંસરા, તરઘડી, ચાંચાવદરડા સહિતના ગામના ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી આપો: કિશોરભાઈ ચિખલીયા
માળિયા તાલુકાના મોટા દહીંસરા, તરઘડી તથા ચાંચા વદરડા સહિતના બિન કમાન્ડ એરીયાના ગામોને સિંચાઈનું પાણી પુરૂ પાડવા માટેની માંગ ઉઠી રહી છે. જેથી કરીને મોરબી જીલ્લા ક્રોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા હાલમાં સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરીને ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી આપવા ઘટતી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
મોરબી જીલ્લા ક્રોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ હાલમાં સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, માળીયા તાલુકામાં અતિવૃષ્ટિ તેમજ મચ્છુ ડેમમાંથી પાણી છોડવાના કારણે ખેડુતોને ભારે નુકશાની થયેલ છે. જેના કારણે ચોમાસુ સિઝનનો લાભ મળેલ નથી. હાલમાં મોરબી-માળીયા વિધાનસભાના ધારાસભ્ય સોશ્યલ મિડીયા મારફત ખેડુતોને પાણી પહોંચાડવાની વાતો કરી રહ્યા છે ત્યારે માળીયા તાલુકાના મોટા દહીંસરા, તરઘડી, ચાંચાવદરડા સહિતના બિન કમાન્ડ એરીયાના ગામોને સિંચાઈ માટેનું પાણી મળેલ નથી. તેમજ ખેડુતોનો અતિવૃષ્ટિના કારણે ચોમાસુ પાક નિષ્ફળ ગયેલ હોય, શિયાળુ પાક લેવા માટે વાવેતર કરેલ છે. પરંતુ આવા ખેડુતોને સિંચાઈનો કોઈ પણ પ્રકારનો લાભ મળેલ નથી અને ખેડુતોને કેનાલના પાણીથી વંચિત રાખવામાં આવી રહેલ છે.
જો મચ્છુ-ર કેનાલ મારફત બી-૩ કેનાલ નં.૫ માં પાણી છોડી બીન કમાન્ડ એરીયાને મંજુરી આપી માળીયા તાલુકાના મોટા દહીંસરા, તરઘડી, ચાંચાવદરડા સહિતના ગામોના તળાવો ભરવામાં આવે તો અનેક ખેડુતોને સિંચાઈનો લાભ મળી શકે તેમ છે. જેથી આ રજુઆતને ધ્યાને લઈ ખરા અર્થમાં ખેડુતોને સિંચાઈનું પાણી પુરૂ પાડવાની વાતો કરવાના બદલે તાત્કાલીક ધોરણે મચ્છુ-૨ કેનાલ મારફત બી-૩ કેનાલ નં.પ માં પાણી છોડી બીન કમાન્ડ એરીયાને મંજુરી આપી ખેડુતોને સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા કરી આપવા માટે ઘટીત કાર્યવાહી કરવા માટેની માંગ કરેલ છે.