હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

ટંકારાના ઓટાળા ગામે રહેતા યુવાને વ્યાજ-મુદલ ચૂકવી દીધેલ હોવા છતાં બેંકમાં ચેક રિટર્ન કરીને કેસ કર્યો !


SHARE

















ટંકારાના ઓટાળા ગામે રહેતા યુવાને વ્યાજ-મુદલ ચૂકવી દીધેલ હોવા છતાં બેંકમાં ચેક રિટર્ન કરીને કેસ કર્યો !

ટંકારા તાલુકાનાં ઓટાળા ગામે રહેતા યુવાને રોજના 8 હજાર આપવાના તે રીતે વ્યાજે આઠ લાખ રૂપિયા લીધેલ હતા અને મુદત તેમજ વ્યાજ આપી દીધેલ હોવા છતાં પણ તેની પાસેથી વધુ રૂપિયા લેવા માટે યુવાને આપેલ ચેકને બેંકમાં જમા કરાવીને ચેક રિટર્ન કર્યા હતા અને ત્યાર બાદ મોરબીની કોર્ટમાં કેસ કરીને યુવાનને હેરાન કરવામાં આવે છે તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે જેથી પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાનાં ઓટાળા ગામે રહેતા બેચરભાઈ મગનભાઈ ધોડાસરા (23) એ હાલમાં મોરબીમાં રહેતા હિરેનભાઈ રાજેશભાઈ પંડયા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, વર્ષ 2020 માં કોરોના સમયે દવાખાનાના કામ માટે પૈસાની જરૂર હતી જેથી કરીને તેને હિરેનભાઈ પંડયા પાસેથી 8 લાખ રૂપિયા રોજના 8 હજાર ના વ્યાજે લીધેલ હતા. જેની સામે એચ.ડી.એફ.સી. બેંકના ફરિયાદીના ખાતાના પાંચ કોરા ચેક લીધેલ હતા અને ત્યાર બાદ એક વર્ષ પછી હિરેનભાઈને મુદ્દલ રકમ 8 લાખ પછી આપી દીધી હતી. અને વ્યાજના રૂપિયાની સગવડ ન હોવાથી હિરેનભાઈઅવાર નવાર ફરિયાદીના ઘરે આવીને પૈસાની ઉઘરાણી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

વધુમાં ફરિયાદી જણાવ્યુ છે કે, કટકે કટકે વ્યાજ સહિત કુલ મળીને 18 લાખ જેટલા રુપિયા આપી દીધેલ છે. તો પણ હિરેનભાઇએ વ્યાજના પૈસા દેવાના બાકી છે તેમ કહીને ધમકી આપીને તેની પાસેથી 25 લાખ લીધેલ છે તેવું નોટરી લખાણ કરાવ્યુ હતું. અને તેની પાસેથી પાંચ સહી વાળા પાંચ ચેક લીધેલ હતા. જે ચેક બેંકમા જમા કરાવીને ચેક રિટર્ન થતા ફરિયાદીની સામે મોરબી કોર્ટમા વર્ધ 2022 માં ચેક રિટર્નનો કેસ કરવામાં આવેલ છે. જે કેસ હજુ ચાલી રહ્યો છે. આમ ઉંચા વ્યાજે લીધેલ પૈસા પાછા આપી દેવા છતાં પણ ફરિયાદીની સામે કોર્ટમાં કેસ કરીને હેરાન પરેશાન અને જાનથી મારી નાખવાની ધમકી આપે છે તેવી ફરિયાદ યુવાને નોંધાવેલ છે.




Latest News