મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

ટંકારાના ઓટાળા ગામે રહેતા યુવાને વ્યાજ-મુદલ ચૂકવી દીધેલ હોવા છતાં બેંકમાં ચેક રિટર્ન કરીને કેસ કર્યો !


SHARE











ટંકારાના ઓટાળા ગામે રહેતા યુવાને વ્યાજ-મુદલ ચૂકવી દીધેલ હોવા છતાં બેંકમાં ચેક રિટર્ન કરીને કેસ કર્યો !

ટંકારા તાલુકાનાં ઓટાળા ગામે રહેતા યુવાને રોજના 8 હજાર આપવાના તે રીતે વ્યાજે આઠ લાખ રૂપિયા લીધેલ હતા અને મુદત તેમજ વ્યાજ આપી દીધેલ હોવા છતાં પણ તેની પાસેથી વધુ રૂપિયા લેવા માટે યુવાને આપેલ ચેકને બેંકમાં જમા કરાવીને ચેક રિટર્ન કર્યા હતા અને ત્યાર બાદ મોરબીની કોર્ટમાં કેસ કરીને યુવાનને હેરાન કરવામાં આવે છે તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે જેથી પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાનાં ઓટાળા ગામે રહેતા બેચરભાઈ મગનભાઈ ધોડાસરા (23) એ હાલમાં મોરબીમાં રહેતા હિરેનભાઈ રાજેશભાઈ પંડયા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, વર્ષ 2020 માં કોરોના સમયે દવાખાનાના કામ માટે પૈસાની જરૂર હતી જેથી કરીને તેને હિરેનભાઈ પંડયા પાસેથી 8 લાખ રૂપિયા રોજના 8 હજાર ના વ્યાજે લીધેલ હતા. જેની સામે એચ.ડી.એફ.સી. બેંકના ફરિયાદીના ખાતાના પાંચ કોરા ચેક લીધેલ હતા અને ત્યાર બાદ એક વર્ષ પછી હિરેનભાઈને મુદ્દલ રકમ 8 લાખ પછી આપી દીધી હતી. અને વ્યાજના રૂપિયાની સગવડ ન હોવાથી હિરેનભાઈઅવાર નવાર ફરિયાદીના ઘરે આવીને પૈસાની ઉઘરાણી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

વધુમાં ફરિયાદી જણાવ્યુ છે કે, કટકે કટકે વ્યાજ સહિત કુલ મળીને 18 લાખ જેટલા રુપિયા આપી દીધેલ છે. તો પણ હિરેનભાઇએ વ્યાજના પૈસા દેવાના બાકી છે તેમ કહીને ધમકી આપીને તેની પાસેથી 25 લાખ લીધેલ છે તેવું નોટરી લખાણ કરાવ્યુ હતું. અને તેની પાસેથી પાંચ સહી વાળા પાંચ ચેક લીધેલ હતા. જે ચેક બેંકમા જમા કરાવીને ચેક રિટર્ન થતા ફરિયાદીની સામે મોરબી કોર્ટમા વર્ધ 2022 માં ચેક રિટર્નનો કેસ કરવામાં આવેલ છે. જે કેસ હજુ ચાલી રહ્યો છે. આમ ઉંચા વ્યાજે લીધેલ પૈસા પાછા આપી દેવા છતાં પણ ફરિયાદીની સામે કોર્ટમાં કેસ કરીને હેરાન પરેશાન અને જાનથી મારી નાખવાની ધમકી આપે છે તેવી ફરિયાદ યુવાને નોંધાવેલ છે.






Latest News