ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાંથી કલમ 45 (ડી) હેઠળ કરેલા કામોની વિગત, નંદીઘરમાં કરવામાં આવેલા ખર્ચાની વિગત અને આવાસ યોજનાની માહિતીનું રેકર્ડ ગુમ: જીલ્લા કોંગ્રોસ પ્રમુખનો ગંભીર આક્ષેપ


SHARE

















મોરબી સમગ્ર ગુજરાતમાં વિકાસના નામે કોનો વિકાસ થયો છે અને કેટલો વિકાસ થયો છે તે તો જગજાહેર છે પરંતુ સરકારી ચોપડે સરકારી કામમાં થયેલી ગેરીતિઓ લોકો સમક્ષ ઉજાગર થાય તેમાં અધિકારીઓ પણ વિપક્ષને સહકાર આપતા નથી. તેવો ઘાટ મોરબીમાં જોવા મળી રહ્યો છે છેલ્લા ચાર મહિના જેટલા સમયથી મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા નગરપાલિકામાં ભાજપ સત્તા ઉપર હતો ત્યારે કલમ 45 (ડી) હેઠળ કરેલા કામો, નંદીઘરમાં કરવામાં આવેલા ખર્ચા અને આવાસ યોજનાની વિગતો માંગવામાં આવી રહી છે પરંતુ સરકારી ચોપડે નોંધાયેલી વિગતો પણ વિપક્ષને આપવામાં આવતી નથી જેથી કરીને નગરપાલિકામાંથી ભ્રષ્ટાચારના ભોરિંગ સમાન કામોની ફાઇલો તથા રેકર્ડ ગુમ થઈ ગયા છે તેઓ આક્ષેપ મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યા છે

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ નગરપાલિકા ઉપર ગંભીર આક્ષેપ કરેલ છે જેમા જણાવ્યુ છે કે, મોરબી નગરપાલીકા કચેરી દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના, મોરબીને ઢોરમુક્ત બનાવવા નંદીઘર, ૪૫(ડી) હેઠળના કામો તેમજ ભુગર્ભ ગટરને લગતા કામો જે છેલ્લા વર્ષોમાં કરવામાં આવેલ છે. તે કામો પ્રજાના ટેક્સની આવકમાંથી કરવામાં આવેલ છે અને તેમાં પજાનો પરસેવાનો રૂપિયો વપરીયેલ છે. જેથી આ કામોને લગતી વિગતો ગત તા.40/7/24 થી વિરોષષક્ષ દ્વારા લેટરપેડ ઉપર માંગેલ છે તો પણ આપવામાં આવેલ નથી જેથી પાલિકાના વર્તમાન વહીવટદાર અને ચિફઓફિસર પણ પ્રજા સમક્ષ સત્ય આવે તેવુ ઇચ્છતા ન હોય તેવો ઘાટ દેખાઇ રહ્યો છે.

વઘુમાં તેમણે જણાવ્યુ છે કે, જે કામોની વિગતો માંગવામાં આવી છે તે તમામ કામોમાં ક્યાંકને ક્યાંક ગેરરીતી અને ભષ્ટાચાર થયો હોય તેવુ હાલમાં દેખાઇ રહ્યુ થે અને એટલા જ માટે તેનુ રેકર્ડ હાલમાં નગરપાલીકા કચેરી ખાતેથી ગુમ થઈ ગયેલ હોવાની શંકાના વાદળો ઘેરાઈ રહેલ છે. જો ઉપરોકત માહિતી પ્રજા સમક્ષ આવે તો તેમાં અનેક અધિકારીઓ તથા નેતાઓના ભ્રષ્ટાચારનો ચહેરો ખુલ્લો પડે તેમ છે. તેમાં શંકાને કોઈ સ્થાન નથી. એટલા જ માટે આજ દિન સુધી પાલિકામાંથી કોંગ્રેસને વારંવાર માંગવા છતા કોઈ પણ પ્રકારની માહિતી પુરી પાડવામાં આવેલ નથી. 

આ માહિતી માટે અગાઉ લેખિત રજૂઆત કરવામાં આવી હતી તેમજ ત્યારબાદ પાલિકા કચેરીમાં ધારણા પ્રદર્શન અને આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે અધિકારીએ માહિતી આપવાની ખાતરી આપી હતી પરંતુ વારંવાર ખાતરી આપીને અધિકારી ફરી જાય છે અને માહિતી આપતા નથી જેથી કરીને પાલિકામાંથી 45 (ડી) હેઠળ થયેલા કામો, નંદીઘર, આવાસ યોજના વિગેરેની ફાઈલો અને રેકર્ડ ગુમ કરી દેવામાં આવ્યો છે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી.




Latest News