મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે ટ્રક ટ્રેલરની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પગ કપાઈ જવાથી યુવાનનું મોત અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના જોધપર ગામે ડો.હસ્તીબેન મહેતાનો ૧૪૮ મો એકદિવસીય કેમ્પ યોજાયો


SHARE











મોરબીના જોધપર ગામે ડો.હસ્તીબેન મહેતાનો ૧૪૮ મો એકદિવસીય કેમ્પ યોજાયો

ડો.હસ્તીબેન મહેતાના ૧૪૮ માં એકદિવસીય કેમ્પ માતુશ્રી સ્વ.રમીલાબેન હરકિશનભાઈ પારેખની યાદમાં હસ્તે દર્શક પારેખ (મોરબી) રફિકભાઇ હોલાવાલા, વાંકાનેર નેશનલ હાઇવે,જોધપર મચ્છુ ડેમ ૧ પાસે આયોજન કરવામાં આવ્યું હતું.ખૂબ સરસ વ્યવસ્થા અને ધાર્યા કરતા પણ વધુ બહોળી સંખ્યામાં દર્દીઓ એકત્રીત થયા હતા અને સૌનો ખૂબ સરસ સહકાર રહ્યો હતો.બપોરે ચાર વાગ્યે કેમ્પ શરૂ કર્યો જે મોડી સાંજે ૭:૩૦ વાગ્યે પૂર્ણ થયો હતો.આ કેમ્પમાં દરેક પ્રકારના દર્દીઓ હતા.જે દરેકનું વજન કરી તપાસીને ત્રણ દિવસની દવા આપી જરૂરિયાત મુજબ બ્લડ સુગર ટેસ્ટ તેમજ બીપી ચેક કરી આપેલ.આ કેમ્પના વા, સાંધા, કમર,વગેરેના દુઃખાવાના ઘણા દર્દી હતા જેમણે જયસુખભાઈ ભાલોડિયાં દ્વારા પોઇન્ટની વિશેષ સારવાર આપીને દર્દથી રાહતનો અહેસાસ કરાવ્યો હતો.જરૂરિયાત મુજબ દર્દીને ત્યાં જઈને પણ સારવાર આપેલ.આ કેમ્પને સફળ બનાવવા માટે રફિકભાઇ હોલવાલાના સમગ્ર પરિવાર દ્વારા ખૂબ જહેમત ઉઠાવવામાં આવી હતી.તબીબોના પહોંચ્યા પહેલા જ દર્દીઓને વ્યવસ્થિત બેસાડીને સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.ખરેખર આ કેમ્પ તબીબ માટે પણ યાદગાર રહ્યો હતો.આ કેમ્પમાં સહાયક તરીકે રશ્મિનભાઈ દેસાઈ, નિશાબેન દેસાઈ, કોઠારિભાઇએ સેવા આપી હતી.






Latest News