ટંકારાના રોહીશાળા ગામે ખેડૂતોના ખેતરોમાંથી કેબલ વાયરોની ચોરી મોરબીમાં સ્વચ્છતા અભિયાન અન્વયે રાજ્યમંત્રી-મેયર સહિતનાઓએ કર્યું શ્રમદાન રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ મોરબીના પ્રગતિ હેઠળના મોડલ રોડની રૂબરૂ મુલાકાત લઈ સમીક્ષા કરી ૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના, જન કલ્યાણના: મોરબીમાં રાજ્યમંત્રીએ રાષ્ટ્રના મહાપુરૂષોને સ્વચ્છતા અંજલિ અર્પણ કરી મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું બહાર પડાયું મોરબી: ૧૦૬ પ્રતિબંધિત વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી નજીક બાઈક ચાલકે હડફેટે લેતા રંગપર બેલાના જેન્તીભાઈ કગથરાનું મોત માળિયા મિયાણામાં મિયાણા સમાજનો પ્રથમ શૈક્ષણિક સન્માન સમારોહ યોજાયો : ૨૬ વિદ્યાર્થીઓનું સન્માન, શિક્ષણ ક્ષેત્રે નવી પહેલ
Breaking news
Morbi Today

મોરબીના જોધપર ગામે ડો.હસ્તીબેન મહેતાનો ૧૪૮ મો એકદિવસીય કેમ્પ યોજાયો


SHARE











મોરબીના જોધપર ગામે ડો.હસ્તીબેન મહેતાનો ૧૪૮ મો એકદિવસીય કેમ્પ યોજાયો

ડો.હસ્તીબેન મહેતાના ૧૪૮ માં એકદિવસીય કેમ્પ માતુશ્રી સ્વ.રમીલાબેન હરકિશનભાઈ પારેખની યાદમાં હસ્તે દર્શક પારેખ (મોરબી) રફિકભાઇ હોલાવાલા, વાંકાનેર નેશનલ હાઇવે,જોધપર મચ્છુ ડેમ ૧ પાસે આયોજન કરવામાં આવ્યું હતું.ખૂબ સરસ વ્યવસ્થા અને ધાર્યા કરતા પણ વધુ બહોળી સંખ્યામાં દર્દીઓ એકત્રીત થયા હતા અને સૌનો ખૂબ સરસ સહકાર રહ્યો હતો.બપોરે ચાર વાગ્યે કેમ્પ શરૂ કર્યો જે મોડી સાંજે ૭:૩૦ વાગ્યે પૂર્ણ થયો હતો.આ કેમ્પમાં દરેક પ્રકારના દર્દીઓ હતા.જે દરેકનું વજન કરી તપાસીને ત્રણ દિવસની દવા આપી જરૂરિયાત મુજબ બ્લડ સુગર ટેસ્ટ તેમજ બીપી ચેક કરી આપેલ.આ કેમ્પના વા, સાંધા, કમર,વગેરેના દુઃખાવાના ઘણા દર્દી હતા જેમણે જયસુખભાઈ ભાલોડિયાં દ્વારા પોઇન્ટની વિશેષ સારવાર આપીને દર્દથી રાહતનો અહેસાસ કરાવ્યો હતો.જરૂરિયાત મુજબ દર્દીને ત્યાં જઈને પણ સારવાર આપેલ.આ કેમ્પને સફળ બનાવવા માટે રફિકભાઇ હોલવાલાના સમગ્ર પરિવાર દ્વારા ખૂબ જહેમત ઉઠાવવામાં આવી હતી.તબીબોના પહોંચ્યા પહેલા જ દર્દીઓને વ્યવસ્થિત બેસાડીને સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.ખરેખર આ કેમ્પ તબીબ માટે પણ યાદગાર રહ્યો હતો.આ કેમ્પમાં સહાયક તરીકે રશ્મિનભાઈ દેસાઈ, નિશાબેન દેસાઈ, કોઠારિભાઇએ સેવા આપી હતી.






Latest News