વાંકાનેરના જોધપર ગામે બે મહિલાઓને દંપતિએ પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી
Breaking news
Morbi Today

મોરબીના જીવરાજબાપા લીખીયાએ કેનાલ પાસેની ગંદકી દૂર કરવાનું બીડું ઝડપ્યું


SHARE







મોરબીના જીવરાજબાપા લીખીયાએ કેનાલ પાસેની ગંદકી દૂર કરવાનું બીડું ઝડપ્યું

મોરબીમાંથી પસાર થતી મચ્છુ કેનાલ રોડને સાફ કરવામાં આવેલ ત્યાર બાદ કચરો એક મહિના જેટલા સમયથી કેનાલ પાસે કાઢીને રોડ કાંઠે ફેંકી દેવામાં આવેલ હતો જો કે, જવાબદાર તંત્ર કે કોન્ટ્રાક્ટર દ્વારા તેને ઉપાડવા માટેની કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. અને કેનાલની રેલિંગ તૂટી ગયેલ છે તેને રીપેર કરવામાં આવી રહી નથી તેવામાં આ સફાઈનું બીડું સાચા સમાજ સેવક જીવરાજબાપા લીખીયાએ ઉપાડયું હતું અને તેમણે ખર્ચ અને પોતાની ઉંમર ૮૦ વર્ષની છે તે વિશે સહેજ પણ વિચાર કર્યા વગર લોકોની સુખાકારી માટે કામ માણસો પાસે કરાવ્યુ હતું. અત્રે ઉલેખનીય છે કે, તેઓ વૃક્ષારોપણ તો મોટા પ્રમાણમા કરે જ છે તેની સાથો સાથ ઘણા લોકોને ઉપયોગી થાય તેવા કામ પણ કરે છે. જે ખરેખર ગર્વ લેવા જેવી બાબત છે. પરંતુ સરકાર કે તંત્રને બેદરકારી બાબતે કોઈ કહેતું નથી જે શરમજનક બાબત કહી શકાય તેમ છે.






Latest News