ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં વડીલો પાર્જિત જમીન બાબતે ભાઈ સાથે ભાઈનો ઝગડો


SHARE













મોરબીમાં વડીલો પાર્જિત જમીન બાબતે ભાઈ સાથે ભાઈનો ઝગડો

મોરબીના વાવડી રોડ ઉપર રહેતા આધેડની સાથે તેમના ભાઈ દ્વારા પૂર્વજોની જમીન બાબતે બોલાચાલી કરીને ઝઘડો કરવામાં આવ્યો હતો. જે બાબતે આધેડએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાવડી રોડ ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા મનુભાઈ દેવાભાઈ ડાંગર બોરીચા (ઉમર ૫૫) એ સામેવાળા તેમના ભાઈ લાખાભાઈ દેવાભાઈ ડાંગર રહે. તુલસીપાર્ક આનંદનગર પાસે કંડલા બાયપાસ વાળા સામે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ગત તી.૩ ના રોજ વાવડી રોડ રામપાર્ક કબીર આશ્રમ નજીક તેઓ હતા ત્યાં તેઓના પૂર્વજોની જમીન ખાખરડા ગામે આવેલ હોય તે મુદ્દે સામેવાળાનો કબ્જો હોય તેમને ભાગ બાબતે બોલાચાલી કરી ઝઘડો કરી ધાક-ધમકી આપી હતી.જે અંગે ફરિયાદ નોંધાતા એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા નોંધ કરી આગળની તપાસ કરાવી હતી.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા પૂજાબેન રાજુભાઈ સામાણી નામના ૨૫ વર્ષીય મહિલાને ઘરે છોકરાઓની બાબતમાં બોલાચાલી થયા બાદ ઘરે મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે સારવારમાં લવાયા હતા. બનાવને પગલે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.તેમજ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામે થયેલ મારામારીના બનાવમાં અશોકભાઈ બીજલભાઇ નકુમ (૪૦) અને લલીતાબેન અશોકભાઈ (૩૭) ને ઉજાઓ પહોંચી હતી જેથી સારવાર માટે સિવિલે લવાયા હતા. બનાવને પગલે જાણ થતા તાલુકા પોલીસ મથકના વી.ડી.ખાચર દ્વારા કારણ સંદર્ભે આગળની તપાસ કરવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર પાવળીયાળી ગામ પાસે બે બાઈક સામસામે અથડાતા સર્જાયેલા અકસ્માત બનાવમાં રમેશકુમાર કાયાભાઈ પરમાર (૨૯) રહે.કચ્છ ને ઇજા થતા અત્રેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.જ્યારે જેતપર ગામેથી વાધરવા બાજુ જતા સમયે પુલ ઉપર બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં પ્રવીણભાઈ અમરશીભાઈ અઘારા (૪૬) રહે.દેવળીયા રોડ જેતપરને ઇજા થતા સારવાર માટે અત્રેની ખાનગી હોસ્પિટલએ લાવવામાં આવ્યા હતા.બંને બનાવો સંદર્ભે તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

ત્રણને ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામ નજીક પાસે બાઈકની આડે અચાનક કુતરૂ આડુ ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં કાળુભાઈ દુદાભાઈ સોલંકી (૩૯) રહે.લાલપરને ઇજા થતા સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે અકસ્માતનો બીજો બનાવ વાંકાનેર હાઇવે ઉપર મકનસર અને પ્રેમજીનગર વચ્ચે બન્યો હતો.જે અકસ્માત બનાવમાં જાંબુડીયા ગામે રહેતા હરિભાઈ ગિરધરભાઈ ધામેચા (૧૯) અને કરણ કાનાભાઈ સીતાપરા (૧૬) રહે.જાંબુડીયાને ઈજાઓ થવાથી સારવાર માટે સિવિલે ખસેડાયા હતા.






Latest News